1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2023 (19:06 IST)

અમદાવાદમાં પતિ ઘરમાંથી 5 લાખની ચોરી કરી ભાગ્યો, ઈન્સ્ટાગ્રામની રીલ્સે પતિના આડા સંબંધનો ભાંડો ફોડ્યો

love jihad
અમદાવાદમાં લગ્નેત્તર સંબંધ લગ્નજીવનમાં ભંગાણ સર્જે છે એવા અનેક કિસ્સા રોજ બની રહ્યાં છે. સોશિયલ મીડિયા દ્વારા આવા અનેક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પોતાની પ્રેમિકા સાથે પોતાના જ ઘરમાંથી પાંચ લાખ રોકડા અને બે સોનાની બંગડીઓની ચોરી કરીને ભાગી ગયો હોવાની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેની હાલમાં 6 વર્ષની દીકરી છે. તેના ઘરમાં 20મી ડિસેમ્બરે તેની નણંદના લગ્ન હતાં. આ પ્રસંગમાં તેના પતિના મિત્રો આવ્યાં હતાં. આ પૈકી એક મિત્ર મુકેશ શાહ અને તેની બહેન હર્ષિતા તિવારી તરીકેની ઓળખાણ આપી હતી. પરીણિતા તેના પતિના તમામ મિત્રોને ઓળખતી હતી. પરંતું આ લોકોને પહેલીવાર જ મળી હતી. જેથી તેને થોડી શંકા ગઈ હતી. આ બાબતે તેણે પતિ સાથે પુછપરછ કરી હતી પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી વધુ ચર્ચા નહોતી થઈ. ઘરમાં પ્રસંગ પુરો થતાં જ પત્નીએ તેના પતિના ઈન્સ્ટાગ્રામમાં એક રિલ્સ જોઈ હતી. જેમાં તેનો પતિ અને આ હર્ષિતા એક ગાડીમાં જતા હોય તેવી રીલ્સ હતી. આ અંગે તેણે પતિ સાથે ચર્ચા કરતાં તેઓ ખાલી મિત્રો છે બીજુ કંઈ નથી એવું જણાવ્યું હતું. પરંતુ પત્નીએ પતિના મોબાઈલથી હર્ષિતાને કોલ કરીને કહ્યું હતું કે, મારા પતિ સાથેના સંબંધોનો અંત લાવી દેજે, તે મેરિડ છે અને એક દીકરીનો બાપ છે. તથા મારા સસરાને હજી આ વાતની કોઈ ખબર નથી. એક વખત તેનો પતિ મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયો હતો અને ત્યાર બાદ ઘરે પરત પણ આવી ગયો હતો. ત્યાર બાદ તે સતત ટેન્શનમાં દેખાતો હોવાથી તેની સાથે વાતચીત કરી હતી. ત્યારે તેના પતિએ કહ્યું હતું કે હર્ષિતા સતત પાછળ પડી ગઈ છે અને સતત તેની સાથે વાત કરવાનું કહે છે. જો વાત નહીં કરુ તો આત્મહત્યા કરવાની ધમકીઓ આપે છે. ત્યાર બાદ પણ પરીણિતાનો પતિ જાણ બહાર હર્ષિતા સાથે જાણ બહાર સંબંધ રાખતો હતો. આ બાબતે પરીણિતાએ તેના સસરાને આ અંગે વાત કરી હતી અને સસરાએ પણ તેમના દિકરાને સમજાવ્યો હતો. ત્યારે તે પત્ની અને પિતા સાથે ઝગડો કરીને ઘર છોડીને જતો રહ્યો હતો. ત્યાર બાદ પણ સમજાવટ બાદ તે પરત ફર્યો હતો. પરંતુ એક દિવસ પત્નીને કરિયાવરમાં આવેલું સોનું ઘરમાં મળયું નહોતું. ત્યારે તેણે તે વેચી દીધું હોવાનું જણાવ્યું હતું. તેણે તેના પિતાની પાસે પણ પૈસાની માંગ કરી હતી. ત્યારે હર્ષિતાએ કહ્યું હતું કે પૈસા આપશો તો જ તમારો દિકરો ઘરે પાછો આવશે. ત્યારે પરીણિતાના સસરાએ પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ ઘટના બાદ થોડા સમયમાં તેનો પતિ પાછો ઘરે આવ્યો હતો અને પત્નીને સમજાવીને રહેવા લાગ્યો હતો. પરંતુ આ બધુ તેનું પૂર્વ નિયોજિત કાવતરૂ હતું અને ઘરમાંથી પાંચ લાખ રૂપિયા તથા દાગીના લઈને જતો રહ્યો છે અને અમારી સાથે વિશ્વાસ ઘાત કર્યો છે એવી તેની પત્નીએ સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.