બુધવાર, 23 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 એપ્રિલ 2025 (15:17 IST)

Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?

Minister Rishikesh Patel
ગુજરાત સરકારના વરિષ્ઠ કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને જણાવ્યું કે તેમની સરકાર જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહોને પરત લાવવામાં તમામ મદદ કરી રહી છે.
તેમણે કહ્યું, "કેન્દ્ર સરકાર તેમના મૃતદેહોને અહીં લાવવામાં મદદ કરી રહી છે. ઉપરાંત આ હુમલામાં બે ઘાયલ લોકો જે હાલ અનંતનાગ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમને પણ મદદ આપવામાં આવી રહી છે. બાકીના જે ગુજરાતી પર્યટકો જે ત્યાં ફસાયા છે, તેમને સુરક્ષિત ગુજરાત લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે."