સંબંધિત સમાચાર
- 3 મહિનાના ધૈર્યરાજસિંહની સારવાર માટે પિતાએ લીધો ક્રાઉડ ફન્ડિંગનો સહારો, આશરે રૂ. 16 કરોડ છે સારવારનો ખર્ચ
- ગૂગલ નિયમ કડક કર્યા: જો તમે યુટ્યુબ પર તમારી કંટેત અમેરિકનોએ જોશે તો ટેક્સ ભરવો પડશે
- સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, જુલાઈથી મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે
- ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
- લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર
ગુજ્જુ ખેડૂત કર્યું સ્ટ્રોબેરીનું વાવતેર, એક મહિનામાં મેળવી અધધધ કિલો સ્ટ્રોબેરી
જામનગરના કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું સંશોધન કરી રહ્યા છે. આ વર્ષે તેઓએ સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું.
એક વીઘામાં ૬૦૦૦ જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરી,આ રોપામાંથી માત્ર એક મહિનામાં જ તેઓને ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મળ્યું છે.
તેઓએ જણાવ્યું કે,"સાકાર ખેડૂતોને દરેક પગલે સહાય અને માર્ગદર્શન આપે છે તેનો લાભ લઈ અન્ય ખેડૂતો પણ માત્ર પરંપરાગત પાકોના બદલે નવા પાકોના પ્રયોગો હાથ ધરીને નવીન ખેતી તરફ વળે તો ખેતી દરેક ખેડૂતને અતિ સમૃદ્ધ બનાવવા સક્ષમ છે. અન્ય પણ આમાંથી પ્રેરણા લઇ આગળ વધે અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લે તો ગુજરાતના ખેડૂતને ક્યારે કોઇ અટકાવી શકે તેમ નથી.”
