1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2025 (13:34 IST)

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન મોદી સાથે શું વાત કરી?

Gujarat CM Bhupendra Patel
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન હાલની ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.
 
તેમણે લખ્યું, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ઘરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી તથા આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.”


 
તેમણે વધુમાં લખ્યું કે “વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાંઓની વિગતો પણ મેળવી હતી.”