ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

આધાર કાર્ડધારકોએ અપડેટ કરાવા પડશે દસ્તાવેજ, શું નવી જાહેરાત થઈ

ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથૉરિટી (યુઆઈડીએઆઈ)એ જેમણે દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ બનાવડાવ્યું હોય તેમને પોતાના દસ્તાવેજ અપડેટ કરવા કહ્યું છે.
 
જે આધાર કાર્ડધારકોએ પોતાની જાણકારી પાછલાં દસ વર્ષમાં અપડેટ નથી કરાવી તેમને આ પગલું અનુસરવા કહેવાયું છે.
 
આધારધારક પોતાની નવી જાણકારી સાથે સંબંધિત દસ્તાવેજ અપલોડ કરીને આધારને અપડેટ કરી શક છે. આ કામ ‘માય આધાર પૉર્ટલ’ પર ઑનલાઇન કે નજીકના આધાર કેન્દ્રમાં જઈને કરી શકાય છે.
 
યુઆઈડીએઆઈના નિવેદન અનુસાર, “જે રહેવાસીઓને દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ અપાયાં હતાં અને જેમણે આ દરમિયાન પોતાની વિગતો અપડેટ નથી કરાવી. આવા ધારકોને પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાની અપીલ કરાય છે.”
 
ગત એક દાયકામા લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઓળખના પ્રમાણપત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.
 
યુઆઈડીએઆઈનું કહેવું છે કે પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાથી લોકો માટે આધારનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનશે.