શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

Pitru Paksha 2022- પિતરોને ખુશ કરવો છે તો કરવુ ગાયને પ્રસન્ન, પિતૃ પક્ષમાં અજમાવો આ ઉપાય

Pitru Paksha Significance: જ્યોતિષ શાસ્ત્રમા પાપથી મુક્તિ મેળવવાના ઘણા ઉપાય જણાવ્યા છે. જેમાં દાન, ધર્મ, જાપ વગેરે શામેલ છે. પણ મહાપાપને જ્યારે શાંત કે પ્રાયશ્ચિત કરવાની વાત આવે છે તો અમે ગૌ દાનની મહિલા જણાવી છે. પિતૃદોષ પણ એક પ્રકારનો પાપ જ છે. જેનો નિવારણ કરવુ જરૂરી હોય છે. પિતૃપક્ષ એક એવો અવસર છે જેમાં અમે સરળતાથી આ પ્રકારના ઉપાયોને કરીને અમારા પિતરોને પ્રસન્ન કરી શકીએ છે. 
 
કહીએ છે કે ગાયનો દાન કરવાથી જન્મો-જન્મના પાપનો નાશ થઈ જાય છે. જે લોકો ગાય દાન નહી કરી શકે છે, તે લોકો ગૌ સેવા કરી શકે છે. કોઈ ગૌશાળામાં જઈને ચારો-પાણીના રૂપમાં ફાળો આપી શકે છે. આધુનિક સમયમાં પ્લાસ્ટિક ખાવાથી ગાયના રોગી થવાની સૂચના મળી છે. તેથી ગાયને પ્લાસ્ટિક ખાવાથી રોકવુ પણ ગાયની સેવા સમાન છે. તેથી બધા લોકો ખાવા-પીવાનો સામાન પૉલીથીનમાં ન ફેંકીને પણ એવી સેવા કરી શકે છે. આમ તો સરકારએ સિંગલ યુઝ પ્લાટિક પર પ્રતિબંધ લગાવી રાખ્યુ છે. 
 
બારણા પર આવી ગાયને સમજવુ ભાગ્ય 
બારણા પર બેસી ગાયને ક્યારે પણ ફટકાર નહી લગાવવી જોઈ. વિચારવુ જોઈએ કે આ તો ભાગ્ય છે જે બારણા પર પોતે આવી છે. ગૌપાલકને ગાયને દૂધ દુહાવા પછી છોડવુ ન જોઈએ. દેશી ગાયનો દૂધ અને ઘી ખૂબ દિવ્ય હોય છે. તેના ઉપયોગથી બુદ્ધિનો વિકાસ થાય છે. 
 
સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે ગાય 
ગાય સકારાત્મક ઉર્જાનો ખૂબ મોટુ સ્ત્રોત હોય છે. જે લોકો ડિપ્રેશનના શિકાર થાય છે તેણે ગાયની સાથે રહેવુ જોઈએ. 
શનિ રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માએ કાળી, ભૂરી ગાયની સેવા કરવી જોઈએ. 
ગાયની સેવા કરવાની સાથે રવિવારે ભોજન કરાવવુ અને ગોળ ખવડાવો. 
પિતરોને પ્રસન્ન કરવા માટે પિતૃદોષ નિવારણ માટે બીજા પ્રત્યે ગાયની સેવા કરવાની સાથે જ તેણે રોટલી ખવડાવી જોઈએ.