વાસ્તુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ
-
ઘરમાં કેક્ટસનુ ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, -
ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી નકારાત્મક ઉર્જાનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા. -
શૌચાલયનો દરવાજો પણ ક્યારેય ખુલ્લો ન મુકવો જોઈએ -
બંધ પડેલી ઘડિયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો.-
દરવાજા પર કેલેંડર કે ઘડિયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષ્ય ઘટે છે. -
રાત્રે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી કપડાં પર નકારાત્મક ઉર્જા ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાત્મક અસર કરે છે.