Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Navratri 2026 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Updated: શુક્રવાર, 13 માર્ચ 2026 (16:13 IST)
 
એક વાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશીકલા સમક્ષ તેની ભલામણ કરી. શશીકલાના સ્‍વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશીકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યાં. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધજીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધજીતે દેવીની અવગણના કરતાં ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધજીત તેમ જ તેના સૈન્‍યને બાળીને રાખ કરી નાખ્‍યું. કુંવર સુદર્શન, તેની પત્‍ની અને તેના સસરાએ મળીને દેવીની સ્‍તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રિ દરમિયાન હોમ-હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતધ્‍ર્યાન થઈ ગયા.
 
કુંવર સુદર્શન અને શશીકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કોશલ દેશના રાજા તરીકે રાજ્‍યાભિષેક કર્યો. ત્‍યાર બાદ વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશીકલા તેમ જ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્‍તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્‍યો. રાજા સુદર્શનના વંશજો શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
 
વસંત નવરાત્રિની ઉજવણી શા માટે ? -
સામાન્‍ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળ બે કારણો મહત્ત્વના ગણવામાં આવે છે. પહેલું, ઋતુગત ફેરફારોને આવકારવા, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્‍ય તહેવારોની શરૂઆત થાય છે અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા શક્‍તિની દિવ્‍ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે.
 
આ વર્ષે વસંત નવરાત્રિની શરૂઆત 9 એપ્રિલના રોજ થનાર છે. હિંદુ ધર્મમાં નવરાત્રિઓનો આ તહેવાર મા દુર્ગા, લક્ષ્મી અને સરસ્‍વતીને સર્મિપત છે. તેને ચૈત્રી નવરાત્રિ, સ્‍પ્રિંગ નવરાત્રિ કે બસંત નવરાત્રિ જેવા વિવિધ નામોએ પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિ રામ નવમી સાથે સંકળાયેલ હોઈ તેને ‘રામ નવરાત્રિ' પણ કહેવામાં આવે છે. આ વર્ષે વસંત નવરાત્રિ 9 એપ્રિલના રોજ શરૂ થઈ 17મી એપ્રિલે પૂરી થનાર છે.
 
વસંત નવરાત્રિ હિંદુ ચૈત્ર માસમાં (માર્ચ, એપ્રિલ) ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મા દુર્ગાની પૂજા (દુર્ગાપૂજા) મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી અને તેને ‘બસંત પૂજા'ના નામે ઓળખવામાં આવતી હતી, પરંતુ પાછળથી ભગવાન શ્રીરામે દુર્ગાપૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો.
 
ભગવાન શ્રીરામ રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા ઇચ્‍છતા હતા. પરિણામે તેઓએ અશ્વિન માસમાં (ઑક્‍ટો.-નવે.) મા દુર્ગાનું આહ્વાન કર્યું હતું. આ જ કારણે ઑક્‍ટોબરમાં કરવામાં આવતી દુર્ગાપૂજા ‘અકલ-બોધોન' એટલે કે ‘કસમયના આહ્વાન'ના નામે પણ જાણીતી છે.
 
વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ (ઉત્તરાંચલ), હરિયાણા, પંજાબ અને જમ્‍મુ-કાશ્‍મીર જેવાં રાજ્‍યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્‍યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે, તેવું કહેવાય છે.
 
આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમ જ ઉત્તરાખંડમાં કેટલાંક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ઑક્‍ટોબર-નવેમ્‍બરમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતાં તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે.

વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ (ઉત્તરાંચલ), હરિયાણા, પંજાબ અને જમ્‍મુ-કાશ્‍મીર જેવાં રાજ્‍યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્‍યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે, તેવું કહેવાય છે.

આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમ જ ઉત્તરાખંડમાં કેટલાંક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ઑક્‍ટોબર-નવેમ્‍બરમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતાં તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે.

વધુ જુઓ..

બટાકા-સોજી ગાર્લિક ચિલી બાઇટ્સ રેસીપી

ગુજરાતી રેસીપી- ચીઝ બર્સ્ટ વડા રેસીપી

શરીરમાં આ ૩ જગ્યાએ સતત ખંજવાળ આવવી અનેક બીમારીઓના છે સંકેત, નિષ્ણાત મુજબ જાણો લક્ષણ

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

Jaya Parvati Vrat 2026 Wishes - જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રત - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ

કરિયર અને આર્થિક ક્ષેત્રે મળશે શુભ પરિણામ, બસ સોમવારે કરી લો આ 5 સહેલાં ઉપાય

આગળનો લેખ
Show comments