Last Updated : બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (14:58 IST)
રાત્રે સૂવા નથી દેતી ખાંસી તો ફૉલૉ કરો આ ટિપ્સ
આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળુ ખરાબ થવુ, શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખો દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે સાથે જ પાંસળીઓ દુ:ખાવો થવો પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રાત્રે થનાર ખાંસીથી પરેશાન છે તો આ વાતનું ધ્યાન રાખો.
1.કોગળા કરો - રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાળા પાણીથી કોગળા કરો. તેનાથી ગળામાં થતી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળા કરવાથી થોડા જ દિવસોમાં ખાંસી ઠીક થઈ જશે.
2. હર્બલ ચા- એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઈ શકે છે. રાત્રે એક કપ હર્બલ ચા પીવાથી ખાંસી પણ નહી આવે અને ઉંઘ પણ સરસ આવે છે.
3. સૂવાની રીત બદલો - રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહો. એક દિશામાં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તમારા આસ-પાસ સાફ સફાઈ રાખો.
4. રાત્રે ન ખાવું દહીં - રાતના સમયે દહીં ખાવાનું ટાળો. રાત્રે તેને પચવવામાં પણ પરેશાની થાય છે તેનાથી ખાંસી પણ વધે છે.
5. હૂંફાળુ પાણી પીવું- શરદીના મૌસમમાં ઠંડુ પાણી પીવાને બદલે ગરમ પાણીનું સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની પરેશાનીથી પણ છુટકારો મળે છે.
6. ડાકટરી સલાહ- અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી આવી રહી હોય તો ડાકટરની સલાહ લો. જાતે જ સારવાર કરવાને બદલે કોઈ સારા ડાકટરથી સંપર્ક કરો.