ફાગણ સુદ-૧૪ તા. ૧૫-૩-૨૦૧૪ને શનિવારના રોજ દર્શનના સમય સવારના: ૫.૦૦ વાગે ખૂલી ૫.૧૫ના અરસામાં મંગળાઆરતી થઈ ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૨.૦૦ થી ૧૨.૪૫ સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે.