સંબંધિત સમાચાર
- ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, 214 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી
- ફરી એકવાર ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી, નવા 810 કેસ નોંધાયા, 2ના મોત
- પુત્ર અયોગ્ય હોવાનું બહાર આવ્યું, અને હાથીઓના નામે 5 કરોડની સંપત્તિ લખી, આ છે 'હાથી કાકા' ની વાર્તા
- યૌન દુર્વ્યવહાર: વિદ્યાર્થીઓએ તેમના કપડામાં હાથ મૂકીને એમ કહીને કે તેઓએ ધૈર્યની કસોટી લેવી, ધરપકડ કરી
- આ સુવિધા અયોધ્યામાં શ્રી રામના દર્શન સાથે નિ: શુલ્ક મળશે.
ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઇ આજે લેવાશે નિર્ણય: મેચના કારણે સરકાર મૂંઝવણમાં
ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લગાવવામાં આવેલા રાત્રી કર્ફ્યુની આજે છેલ્લો દિવસ છે. ત્યારે વધતા સંક્રમણના કારણે રાત્રી કર્ફ્યુ 31 માર્ચ સુધી લંબાવાઈ શકે છે. હાલ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લદાયેલો છે. ત્યારે હવે કોરોનાના વધતા સંક્રમણના પગલે રાત્રી કર્ફ્યુની સમયમર્યાદા લંબાવાઇ શકે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાલતા T-20 મેચના કારણે સરકાર રાત્રી કર્ફ્યુ લઇ મૂંઝવણમાં મુકાઈ છે. આ મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે હાઇલેવલની કમિટીની બેઠક યોજાઇ શકે છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે સૌ કોઇને નજર સરકારના આગામી નિર્ણય પર છે.
