Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં એક દિવસમાં 10 ડોક્ટર્સ કોરોનાનો ભોગ બન્યાં

મંગળવાર, 9 જૂન 2020 (13:38 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નોંધાયેલા કેસમાં એક જ દિવસમાં 10 ડોક્ટર્સ કોરોના પોઝિટિવ બન્યા છે. જેમાં મોટાભાગે 25થી 30 વર્ષના ડોક્ટર્સ છે.લોકડાઉન-4 અને 5માં છૂટછાટ મળ્યા બાદ લોકલ સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે નોંધાયેલા કુલ 290 કેસમાં 10 ડોક્ટરોનો પણ સમાવેશ થયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 25થી 60 વર્ષના ઉંમર ધરાવતા ડોક્ટરો કોરોનાનો ભોગ બન્યા છે. જેમા નરોડા, ચાંદખેડા, સુભાષબ્રીજ, થલતેજ, ચાંદલોડિયા, મણીનગર, એસ.વી.પી, જોધપુરના ડોક્ટરો હતા.  શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 13,904 કેસ નોંધાયા છે. જેમાથી 998 લોકોના મોત નિપજ્યા છે, જોકે ડોક્ટર્સ જ કોરોનાનો ભોગ બનતા તેમની પાસે સારવાર અર્થે આવેલા દર્દીઓમાં પણ કોરોનાનો ખતરો વધ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં ડોક્ટર્સ સારવાર હેઠળ છે તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ ચાલી રહી છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

Mouni Roy Suraj Nambiar Divorce - મૌની રોય-સૂરજ નાંબિયારના ડાયવોર્સ પર ટ્રોલ થઈ દિશા પાટની, લાગ્યો ઘર તોડાવવાનો આરોપ

આગળનો લેખ
Show comments