શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2022 (09:03 IST)

Chaturmas 2022 - 117 દિવસ સુધી યોગ નિદ્રામાં રહીને ભગવાન વિષ્ણુ, પણ માંગલિક કાર્યો માટે 4 મહીના રાહ જોવી પડશે

vishnu shiv chaturmas
આષાઢ મહીનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ આવતા ચાર મહીના માટે યોગનિદ્રામાં જશે. તેની સાથે આ મહીનામાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સાથે બીજા માંગલિક કાર્યની ના હોય છે. 
 
હિંદુ પ6ચાગના મુજબ ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી લઈને દેવ પ્રબોધિની એકાદશી સુધી યોગ નિદ્રામાં રહે છે. તેને ચાતુર્માસના નામથી કહેવાય છે. યોગ નિદ્રામાં જવાથી પહેલા  વિષ્ણુ ચાર મહીના માટે સૃષ્ટિનો સંચાલન ભગવના શિવને સોંપે છે. તે કારણે દેવશયની એકાદશીનો ખૂબ મહત્વ છે. 
 
 
વર્ષ 2022માં લગ્નના માત્ર 13 મુહુર્ત 
 
ચાતુર્માસ શરૂ થતા જ માંગલિક કાર્ય થવા બંધ થઈ જાય છે. તેથી માત્ર 5, 6 અને 8 જુલાઈને જ લગ્ન થઈ શકે છે. ત્યારબાદ 4 નવેમ્બરને પ્રબોધિની એકાદશી ભગવાન વિષ્ણુ જાગ્રાત થશે અને આ દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામનો લગ્ન કરાશે. ત્યારબાદ ગ્રહોના અસ્ત થવાના કારણે લગ્ન મુહુર્ત 26 નવેમ્બરથી શરૂ થશે. તે પછી 27 અને 28 નવેમ્બરને લગ્ન થઈ શકે છે. તેમજ ડિસેમ્બરમાં 2,3,4,7,9,13 અને 15 ડિસેમ્વરને લગ્ન કરવુ શુભ રહેશે. 
 
વિષ્ણુજી દેવશયનીથી પ્રબોધિની એકાદશી સુધી રહેશે નિદ્રામાં 
 
પંચાગ મુજબ ભગવાન વિષ્નુ દેવશયની એકાદશી એટલે 10 જુલાઈને યોગ નિદ્રામાં જશેૢ તે સાથે જ આશરે 117 દિવસ પછી એટલે કે 4 નવેમ્બરને પ્રબોધિની એકાદશીના દિવસે જાગસ્ગેૢ અને સૃષ્ટિનો સંચાર મહાદેવથી લઈ લેશે. આ દિવસે વિધિથી પૂજા પાઠ કરીને ભગવાન વિષ્ણુને જગાવશે. 
 
ચાતુર્માસમાં પડશે આ મહીના 
હિંદુ કેલેંડરના મુજબ જ ચાતુર્માસ ઉજવાશે. જે આષાઢ મહીનાથી લઈને કાર્તિક માસ સુધી ચાલશે. 
 
 આષાઢ મહીના- 10 જુલાઈ દેવશયની એકાદશી થી આષાઢ પૂર્ણિમા સુધી 
 
 શ્રાવણ મહીના- આ મહીને ચાતુર્માસ રહેશે. 
 
 ભાદ્રપદ મહીના- 30 તિથિ ચોમાસા 
 
 અશ્વિન મહીના- આખો મહીને ચોમાસા