શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Guru Pushya Nakshtra 2021: ગુરૂપુષ્ય યોગ શુ છે, જાણો મહત્વ મુહુર્ત અને ઉપાય

આજે માગ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે. આજે 28 ઑક્ટોબર 2021 ના ​​રોજ ગુરુ પુષ્ય યોગ પાર ક્યા કારે બનાવવામાં આવી રહી છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે આ વિશેષ યોગની રચના થાય છે. તમને જણાવી દઈએ કે, આ સમય દરમિયાન શુભ કાર્ય કરવાથી સારા પરિણામ મળે છે. આ યોગમાં લગ્ન સિવાય અન્ય તમામ કામ કરવું શુભ માનવામાં આવે છે.
 
ગુરૂ પુષ્ય યોગ નુ મહત્વ (Guru Pushya Yog Importance)
ભગવાન શનિ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. આ સિવાય, નોંધનીય છે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે બૃહસ્પતિ દેવની પૂજા પણ કરવામાં આવે છે. બૃહસ્પતિ દેવને વ્યક્તિના જીવનમાં સુખ, સુવિધાઓ અને સંપત્તિ, સંપત્તિ વગેરેનું પરિબળ માનવામાં આવે છે
 
ગુરૂ પુષ્ય યોગના ઉપાય (Guru Pushya Yog Upay)
 
- ગુરૂ પુષ્ય યોગના દિવસે ઘરની બહાર સ્વસ્તિકનુ ચિન્હ બનાવો અને દક્ષિણાવર્તી શંખની પૂજા કરો. આ શંખને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત છે. આવુ કરવાથી જલ્દી જ અટકેલુ ધન પ્રાપ્ત થાય છે. 
 
-. આ ગુરૂવારની સાંજે મા લક્ષ્મીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો અને ત્યારબાદ લક્ષ્મીના ચરણોમાં સાત કોડીયો મુકો. અડધી રાત પછી આ કોડીયોને ઘરના કોઈ ખૂણામાં દાટી દો. આ ઉપાયથી ધન સંબંધિત લાભ થાય છે.
 
- ગુરૂ પુષ્યની રાત્રે સ્નાન કરી પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તરની તરફ મોઢુ કરીને બેસી જાવ. હવે તમારી સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો. જે વિષ્નુ મંત્ર સાથે સિદ્ધ થાય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 વાળા જાપ કરો. મંત્ર જપ વચ્ચે ઉઠશો નહી. ભલે પછી તમને ઘૂંઘરુનો અવાજ સંભળાય કે પ્રત્યક્ષ લક્ષ્મી દેખાય.
 
મંત્ર -
ऊं श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्
 
આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક સંપન્ન કરવાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ના થાય છે.
 
-  આ દિવસે
જૂની ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કોડી મુકીને તેનુ કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી તમારી તિજોરીમાં બરકત કાયમ રહેશે.
 
-  ગુરૂ પુષ્યની સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી પરવારીને લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અર્પિત કરો અને સફેદ રંગની મીઠાઈનો ભોગ લગાવો. માં લક્ષ્મીને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા સમયમાં તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે.
 
 
-  ગુરૂ પુષ્યને સવારે લીલા રંગના કપડાની નાની મોટી થેલી તૈયાર કરો.
શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગ, 10ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રૂદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘી ના મોદકનો નૈવૈધ ચઢાવો. આ થેલી તિજોરી કે કૈશ બોક્સમાં મુકી દો.
ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધાર આવી શકે છે. જ્યારે ફરી ગુરૂ પુષ્યનો યોગ બને ત્યારે આ થેલી નદીમાં પ્રવાહિત કરી દો અને નવી થેલી બનાવી લો.
 
-  ગુરૂવારે સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂને બદલે લાલ રંગના દોરાનો પ્રયોગ કરો. સાથે જ દિવામાં થોડુ કેસર પણ નાખી દો. આ ઉપાયથી ધનનુ આગમન થાય છે.