1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. nag panchami Puja vidhi and vrat katha

નાગ પાંચમ 2026 - ક્યારે છે નાગપાંચમ ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નાગ પાંચમની કથા

naag pancham
naag pancham
વર્ષ 2026માં નાગ પાંચમ દેશના મોટાભાગના રાજ્યોમાં 17 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાશે, જ્યારે ગુજરાતમાં અમાસ પછીનો પંચાંગ નવો મહિનો ગણાતો હોવાથી અહીં કૃષ્ણ પક્ષની નાગ પંચમ 1 સપ્ટેમ્બર 2026, મંગળવારના રોજ ઉજવવામાં આવશે

તારીખ અને શુભ મુહૂર્ત

 
ગુજરાતમાં નાગ પંચમ તારીખ - 1 સપ્ટેમ્બર 2026, મંગળવાર
પંચમી તિથિ પ્રારંભ - 1 સપ્ટેમ્બર 2026, સવારે 07:41 વાગ્યે
પંચમી તિથિ સમાપ્ત -  2 સપ્ટેમ્બર 2026, સવારે 06:12 વાગ્યે
પૂજાનું શુભ મુહૂર્ત -  સવારે 07:41 થી સવારે 10:45 સુધી (સવારના ચોઘડિયા મુજબ)
 

નાગ પાંચમ પૂજા વિધિ

-  સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રત કે પૂજાનો સંકલ્પ લો. 
- નાગદેવની સ્થાપના: ઘરના મંદિર અથવા પૂજાના સ્થાન પર એક બાજઠ પર લાલ કે સફેદ કપડું પાથરી નાગદેવની મૂર્તિ, ચિત્ર    અથવા માટી/હળદરથી બનાવેલા નાગજીની સ્થાપના કરો. (ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ શેડ કે ગાયના      છાણથી નાગનું ચિત્ર પણ બનાવે છે.)
- અભિષેક અને શૃંગાર: નાગદેવતા પર જળ અને દૂધથી અભિષેક કરો. ત્યારબાદ કંકુ, અક્ષત (ચોખા), કંકુ, ચંદન અને ફૂલ      અર્પિત કરો. 
- ભોગ (નૈવેદ્ય): નાગદેવને કાચું દૂધ, સાકર, બાફેલા કઠોળ (જેમ કે મગ કે ચણા),  કુલેર (બાજરીના લોટ અને ગોળનું નૈવેદ્ય)નો    ભોગ ધરાવો.
- ધૂપ અને આરતી: ધૂપ, દીવો પ્રગટાવી નાગદેવતાની આરતી કરો અને તેમના મંત્રો (જેમ કે ઓમ નાગદેવતાય નમઃ અથવા    ઓમ નમઃ શિવાય) નો જાપ કરો.
- પ્રાર્થના: પૂજા પૂર્ણ થયા પછી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્પભયથી મુક્તિ માટે પ્રાર્થના કરો.
વ્રત કે પૂજા વિધિ સંબંધિત અન્ય કોઈ વિશિષ્ટ માહિતી જાણવી છે?


Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

 
પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી - તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ' અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.' આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ.
 
તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી - સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ' તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી - ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો - સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.
 
થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે - મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ' આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો - હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.
 
એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ - હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
 
આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી - ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી.
 
સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી - શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે - ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.

રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું - તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી - રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે - હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
 
આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા - આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું - સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો - જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
 
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.
 
આગળનો લેખ
Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 સપ્ટેમ્બર, 2026