1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સરોજ સિંહ|
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (20:33 IST)

કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી પાસે ડોનાલ્ડ ટ્રમ્પે મદદ કેમ માગવી પડી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ભારત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હઠાવી શકે તો ઠીક છે, તે બદલ અમેરિકા પગલાં લઈ શકે છે.

જોકે આ કેવાં પગલાં હશે તે બાબતે તેમણે કશું જ કહ્યું નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગણતરીના દિવસો પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાત થઈ. બંને દેશોએ કોરોના વિરુદ્ધની લડાઈમાં પૂર્ણ દમખમ સાથે એક બીજાનો સહકાર આપશે.”
ચાર એપ્રિલે સવાર-સવારમાં વડા પ્રધાને આ વાત કહી પરંતુ તેમણે એ ન જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસેથી કયા પ્રકારની મદદ માગી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે મીડિયામાં આ બાબતે માહિતી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલીફોન પર વાત કર્યા પછી સ્થાનિક મીડિયાને સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ભારત મોટી માત્રામાં હાઇડ્રૉક્સીક્લોરોક્વિન બનાવે છે."
"હાલ તેમણે આ દવા પર રોક લગાવી છે. ભારતમાં પણ આ દવા બહું વપરાય છે. ભારતની વસતી પણ વધારે છે પરંતુ અમે તેમને આ દવા માટે પોતાનો ઑર્ડર મોકલ્યો છે. તેમણે અમારા ઑર્ડર પર વિચાર કરવાનો ભરોસો અપાવ્યો છે."

ભારતમાં કોરોના વાઇરસના કેસ

4421 ભારતમાં કોરોના વાઇરસના કેસ

421

કુલ કેસ

326

સાજા થયા

114

326

સાજા થયા

114

ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચર્સ ઍસોસિયેશનના કાર્યકારી નિદેશક અશોક કુમાર મદાને બીબીસીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધી આ દવાના સપ્લાયમાં કોઈ તંગી નથી થઈ.
“સરકારને આ દવાની જેટલી જરૂરિયાત છે, આ પાંચ કંપનીઓની મદદથી અમે આ સપ્લાય કરી રહ્યા છીએ.”
અત્યાર સુધી ભારતથી આ દવા આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી.

ઑટો ઇન્યુન બીમારીઓની સારવારમાં આ દવાનો વપરાશ વધારે થતો હોય છે. પરંતુ ભારતમાં કોરોનાના સંક્રમણ સામેની લડતમાં આ દવા વાપરવામાં આવી રહી છે.
મોટાભાગના ડૉક્ટર અને સંક્રમિત દર્દીની સાર-સંભાળ લઈ રહેલા લોકો આ દવા લઈ રહ્યા છે, પરંતુ રાજસ્થાનમાં કોવિડ19ના પૉઝિટિવ દર્દીઓને પણ આ દવા આપવામાં આવી રહી છે.
રાજસ્થાનના સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારી કહે છે, "રાજસ્થાન સરકાર તરફથી હવે આ દવા પૂરી પાડવામાં આવી રહી છે."
"કોવિડ19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આ દવા આપવામાં આવી છે અને બાકી કોવિડ19 દર્દીઓને પણ આ દવા આપવામાં આવી રહી છે, ભારતમાં હવે કોવિડ19ની સારવારમાં આ દવાને સામેલ કરવામાં આવી છે. "

શું ભારતે આ દવા અમેરિકા મોકલવી જોઈએ?
ભારતમાં કોરોના વાઇરસના કેસ
આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.
રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 335 42 16
તામિલનાડુ 309 6 1
કેરળ 286 27 2
દિલ્હી 219 8 4
રાજસ્થાન 133 3 0
આંધ્ર પ્રદેશ 132 1 1
કર્ણાટક 124 10 3
ઉત્તર પ્રદેશ 113 14 2
તેલંગણા 107 1 3
મધ્ય પ્રદેશ 99 0 6
ગુજરાત 87 8 7
જમ્મુ-કાશ્મીર 70 3 2
પશ્ચિમ બંગાળ 53 3 3
પંજાબ 46 1 4
હરિયાણા 43 21 0
બિહાર 24 0 1
ચંદીગઢ 18 0 0
આસામ 16 0 0
લદ્દાખ 14 3 0
આંદમાન નિકોબાર 10 0 0
ઉત્તરાખંડ 10 2 0
છત્તીગઢ 9 2 0
ગોવા 6 0 0
હિમાચલ પ્રદેશ 6 1 1
ઓડિશા 5 0 0
પુડ્ડુચેરી 3 1 0
મણિપુર 2 0 0
ઝારખંડ 2 0 0
મિઝોરમ 1 0 0
 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર
કલાકની સ્થિતિ
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “ભારત પાસે કેટલી દવા છે અને કેટલી જરૂરિયાત છે, એ વાતને ધ્યાનમાં રાખીને સરકારે કોઈ નિર્ણય કરવો જોઈએ."
"આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભારતમાં કોરોના સંક્રમણની સંભવિત સ્થિતિ શું છે. એટલે આવનારા દિવસોમાં આ દવાની માગ વધી શકે છે. અમને એ પણ નથી ખબર કે કોરોના વાઇરસની અસર ભારતમાં કેટલો સમય રહેશે."
"જો અમારી આજની ખપત અને આવનારા દિવસોમાં સંભવિત ખપત કરતાં વધારે દવા આપણે બનાવી શકતા હોય તો આપણે જરૂર અમેરિકાની મદદ કરવી જોઈએ. પરંતુ પોતાને ખતરામાં નાખીને નહીં.”
ભારતમાં સોમવાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર હજારને પાર કરી ગઈ છે અને 111 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અશોક મદાન પણ ડૉક્ટરની વાતથી સહેમત છે.
તેમના પ્રમાણે, “આ દવાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. પરંતુ અમારી પાસે આજની તારીખમાં આને ઍક્સપૉર્ટ કરવાની ક્ષમતા છે."
"સરકાર જે નિર્ણય કરશે અમે તેમાં સહયોગ કરવા માટે તૈયાર છીએ. પરંતુ પહેલાં ડૉમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવી, એ જ અમારી પ્રાથમિકતા હશે.”
અશોક મદાન પ્રમાણે આ દવા બનાવવામાં વપરાતો અમુક સામાન ભારતમાં બને છે અને અમુક સામગ્રી ચીનથી આવે છે. આ સામગ્રી હજી ચીનથી આવી રહી છે અને આમાં કોઈ કમી નથી આવી.બીબીસીએ કેટલાક ટ્રેડર્સ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે દિલ્હીમાં આ દવાનો સપ્લાય કેટલો છે.
દિલ્હી ડ્રગ ટ્રેડર ઍસોસિયેશન, ભગીરથ પ્લેસના જનરલ સેક્રેટરી આશીષ ગ્રોવરે કહ્યું કે “માર્કેટમાં અત્યારે આ દવા નથી મળી રહી. શરૂઆતમાં હતી પરંતુ હવે માર્કેટમાંથી ગાયબ છે.”
બીબીસીએ દવા બનાવવા વાળી કમ્પની ZYDUS સાથે પણ સંપર્ક કર્યો. તેમની પ્રતિક્રિયા હજી નથી મળી શકી.

અમેરિકામાં હોઇડ્રૉક્સીક્લોરોક્વિનનો વપરાશ
કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં આ દવા મોટા પ્રમાણમાં વપરાઈ રહી છે.
21 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે કોરોના વાઇરસની દવા અમેરિકામાં શોધાઈ હતી.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું, ''હાઇડ્રૉક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન મેડિસિનની દુનિયામાં સૌથી મોટું ગેમચેઇન્જર સાબિત થઈ શકે છે."
"એફડીએએ મોટું કામ કરી દેખાડ્યું હતું, થૅન્કયુ. આ બંને ઍજન્ટને તત્કાલ પ્રભાવથી કામમાં લેવા જોઈએ, લોકોના જીવ લેવાઈ રહ્યા છે."
જોકે ટ્રમ્પના આ નિવેદન પછી 21 માર્ચના રોજ અમેરિકાના સેન્ટર ઑર ડિઝિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ એક રિપોર્ટ જાહેર કર્યો.
સીડીસીએ આ રિપોર્ટમાં કહ્યું કે કોવિડ19ને દર્દીઓ માટે એફડીએને કોઈ દવાની મંજૂરી નથી આપી.
જોકે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા સહિત અનેક દેશોમાં કોવિડ19ના દર્દીઓ માટે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન વાપરવામાં આવી રહી છે.
એક નાના અભ્યાસ મુજબ હાઇડ્રૉક્લીક્લોરોક્વિન સાથે એઝિથ્રોમાઇસીનનું કૉમ્બિનેશન કોવિડ19ની અસરને ઘટાડી શકે છે.