સંબંધિત સમાચાર
- આજથી શરૂ થતી ગુજરાતયાત્રામાં નરેન્દ્ર મોદી આપશે ચૂંટણીપરીક્ષાના બે સૌથી 'અઘરા પેપર'
- નરેન્દ્ર મોદી પ્રત્યે તામિલનાડુને આટલો અણગમો કેમ છે?
- બાલાકોટના હીરો વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા મોદીને મત અને ભાજપને સમર્થનનું સત્ય- ફૅક્ટ ચેક
- World Cup 2019 : વર્લ્ડ કપની ટીમમાં પંતની પસંદગી ન થવાથી ઊઠયા પ્રશ્નો
- મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમની નોટિસ, ધર્મ આ મામલે શું કહે છે?
ગુજરાતમાં કરા સાથે વરસાદી તોફાન : 9 લોકોનાં મૃત્યુ
મંગળવારે ગુજરાતના કેટલાક પ્રાંતોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વર્સ્યો હતો.
'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ વરસાદી તોફાનમાં નવ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે, સાથે-સાથે 14 જેટલાં પશુઓનાં પણ મૃત્યુ થયાં છે અને પાકને પણ નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા વર્સ્યા હતા.
ગાંધીનગરથી કાર્યરત સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, મોરબી, સાબરકાંઠા અને મહેસાણામાં નવ લોકો મૃત્યુ પામ્યા છે.
વાતાવરણમાં પલટો આવતાં રાજ્યભરમાં તાપમાનમાં ઘટાળો નોંધાયો હતો.
તજજ્ઞોનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં કરા સાથે કમોસમી વરસાદ વર્સ્યો હતો.