બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 11 એપ્રિલ 2020 (17:50 IST)

દિલદાર અક્ષય કુમારે હવે BMCને 3 કરોડ આપ્યા, કહ્યું - માસ્ક અને ટેસ્ટિંગ કિટની કમી ન થવી જોઈએ

કોરોના વાયરસની વિપદા સામે બોલીવુડ સેલેબ્સ દિલ  ખોલીને દાન કરી રહ્યા છે.  પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપ્યા પછી અક્ષયે બીએમસીને 3 કરોડ રૂપિયા પણ આપ્યા છે. 
 
બોલીવુડ સેલીબ્રિટી સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવા સાથે જ ફાઈનેશિયલ મદદ પણ દિલ ખોલીને કરી રહી છે. થોડા દિવસ પહેલા પીએમ કેયર ફંડમાં 25 કરોડ આપનારા અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયા આપ્યા છે. સૂત્રો મુજબ અક્ષયે આ રકમ વર્કર્સને માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ ખરીદવા માટે આપી છે. 
 
માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ માટે આપ્યા રૂપિયા 
 
કોરોના વાયરસથી મુક્તિ મેળવવા આખું વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બોલીવુડના સેલીબ્રિટી  સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવાની સાથે જ ફાઈનેંશિયલ મદદ પણ દિલ ખોલીને મદદ કરી રહ્યા છે.  અગાઉ 25 કરોડ વડા પ્રધાન રાહત ફંડમાં  આપ્યા બાદ અક્ષય કુમારે BMC ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. અહેવાલો અનુસાર અક્ષયે આ રકમ કામદારોને માસ્ક અને ટેસ્ટીંગ કીટ વગેરે ખરીદવા માટે આપી છે.