શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:46 IST)

એક દિવસની રાહત પછી કોરોના કેસમાં મોટુ ઉછાળ આજે 1.94 લાખથી વધારે કેસ આવ્યા

ભારતમાં એક દિવસની રાહત પછી કોરોના સંક્રમણના નવા કેસમાં પફી ઉછાળ આવી ગયુ છે. સ્વાસ્થય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાના 1 લાખ 94 હજાર 720 નવા કેસ નોંધાયા છે અને દૈનિક ચેપનો દર પણ વધીને 11.05 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના ત્રીજા મોજા દરમિયાન પ્રથમ વખત સક્રિય કેસ 9 લાખને વટાવી ગયા છે.
હાલમાં દેશમાં કોરોનાના 9 લાખ 55 હજાર 319 સક્રિય કેસ છે. આ આંકડો અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોના કેસના 2.65 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઘટીને 96.01 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન 442 કોરોના દર્દીઓના મોત પણ થયા છે.