શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (13:14 IST)

ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો, 24 કલાકમાં 28,591 નવા કેસ

બીજી લહેરમાં ભારે વિનાશ સર્જ્યા બાદ પણ કોરોના રોકાવવાનો નામ નામ નથી લઈ રહ્યો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા રજૂ કરાયેલા છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે 338 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 34,848 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. અગાઉ, શનિવારે 33,376 નવા કેસ નોંધાયા હતા, શુક્રવારે 34973.