હજુ કેટલી તક જોઈએ આ ખેલાડીને... એક વાર ફરી બધાને એકદમ કર્યા નિરાશ
ઈગ્લેંડ અને ભારત વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝના બીજા મુકાબલો એજબેસ્ટનમાં રમાય રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી ટીમ ઈંડિયાએ દરેક ડિપાર્ટમેંટમાં સારુ પ્રદર્શન કર્યુ છે. હાલ આ મેચમાં ગિલ એંડ કંપનીનુ પલડુ ભારે જોવા મળી રહ્યુ છે. પણ ટીમ ઈંડિયામાં આ સમય એક ખેલાડી એવો છે જેને સતત તક મળી રહી છે પણ તે એક પણ દાવ રમી શક્યો નથી. અમે વાત કરી રહ્યા છે કરુણ નાયરની.
કરુણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયરને જ્યારે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે ફેંસેએ તેના સંદર્ભમાં ઘણી વખત બીસીસીઆઈને ટ્રોલ કર્યું. કરુણ નાયરે પણ ટ્વિટ કરીને ડિયર ક્રિકેટ પાસે તક માંગી હતી. હવે જ્યારે તેને ટીમ ઈન્ડિયામાં તક મળી રહી છે, ત્યારે તે તેનો લાભ ઉઠાવી શક્યો નથી. તે ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચની 4 ઇનિંગ્સમાં ફક્ત 77 રન જ બનાવી શક્યો છે. આ દરમિયાન, તેણે કેટલીક ઇનિંગ્સમાં સારી શરૂઆત કરી છે પરંતુ તે તેને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યો નથી.
Karun Nair's top three innings in test:
— TukTuk Academy (@TukTuk_Academy) July 5, 2025
- 303 (381)*
- 31 (50)
- 26(46) pic.twitter.com/uMgykN3Y4n
કરુણ નાયરને ટીમમાં પોતાનું સ્થાન બચાવવા માટે મોટી ઇનિંગ્સ રમવી પડશે
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કરુણ નાયર ક્યાં સુધી આ રીતે પોતાની તકો ગુમાવતો રહેશે. તે લગભગ નિશ્ચિત છે કે તેને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીમાં તમામ 5 ટેસ્ટ મેચમાં તક મળશે, પરંતુ જો તે બાકીની ત્રણ મેચમાં એક પણ મોટી ઇનિંગ્સ રમી શકશે નહીં, તો તેના માટે ટીમમાં પોતાનું સ્થાન બચાવવું ખૂબ મુશ્કેલ બનશે. ટેસ્ટ ક્રિકેટમાં કરુણ નાયરના આંકડાઓની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 7 મેચોમાં એક ત્રેવડી સદીની મદદથી 394 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 49.25 રહી છે. જો આપણે તે એક ત્રેવડી સદીને બાજુ પર રાખીએ, તો ત્યારથી તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.
