1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (12:55 IST)

વિરાટને કપ્તાનનુ પદ છોડવા માટે મળ્યો હતો 48 કલાકનો સમય અને તેમણે એવુ ન કરતા BCCIએ લીધો નિર્ણય અને રોહિતને સોંપી જવાબદારી

વિશ્વકપમાં નિરાશાજનક પ્રદર્શન પછી આવુ થવાનુ જ હતુ અને બુધવારે બીસીસીઆઈ (BCCI)એ વિરાટ કોહલી  (Virat Kohli)ને ભારતની એક દિવસીય ટીમના કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને સોંપી દીધી. કોહલી પહેલા જ T2 કપ્તાની છોડી ચુક્યા હતા. જાણ થઈ છે કે ભારતીય ક્રિકેટ બોર્દ (BCCI) એ તેમને સ્વેચ્છાથી વનડે ટીમની કપ્તાની પરથી હટાવવા માટે 48 કલાકની રાહ જોઈ પણ તેમણે એવુ ન કર્યુ. પરંતુ 49મા કલાકે વિરાટ કોહલી આ પદ ગુમાવી બેસ્યા જે થવાનુ જ હતુ. 
 
કદાચ કોઈને આ બતાવવા માટે એટલો સમય થઈ ચુક્યો છે. કોહલીની બરખાસ્તી વિશે બીસીસીઆઈના નિવેદનમાં ઉલ્લેખ પણ ન કરવામાં આવ્યો જેમા ફક્ત કહેવામાં આવ્યુ હતુ કે પસંદગી સમિતિએ આગળ વધવા દરમિયાન રોહિતને વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમોના કપ્તાન બનાવવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ બસ આમ જ પોતાની કપ્તાની ગુમાવી દીધી. બીસીસીઆઈ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિએ કોહલીને કપ્તાની પદ પરથી હટાવી દીધા જેમની મહત્વાકાંક્ષા કદાચ 2023 વનડે વિશ્વકપમાં ઘરેલુ જમીન પર ભારતીય ટીમની આગેવાની કરવાની હશે. 
 
જે ક્ષણે ભારત T20 વિશ્વકપના ગ્રુપ ચરણમાંથી બહાર થયુ, કોહલીને કપ્તાની પદ પરથી હટાવી દેવુ નક્કી થઈ ગયુ હતુ. પણ બીસીસીઆઈ અધિકારી છેલ્લા સાઢા ચાર વર્ષોથી ટીમના કપ્તાનને સન્માનજનક રસ્તો આપવા માંગતાહતા. અંતમાં એવુ લાગે છે કે કોહલીએ બીસીસીઆઈને કહ્યુ કે તેમને કેપ્ટન પદ પરથી હટાવી જુઓ અને રમતની ટોચની સંસ્થાએ આગળ વધીને આવુ જ કર્યુ અને પછી તેમની સામે તેને સ્વીકાર કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.


BCCIના અધિકારીનું માનવું છે કે વનડે અને T20 માટે અલગ-અલગ કેપ્ટન ન હોવા જોઈએ. આ જ કારણોસર રોહિત શર્માને લિમિટેડ ઓવર ફોર્મેટની કેપ્ટનશિપ સોંપી દેવામાં આવી છે. રસપ્રદ વાત છે કે 2022 (T20) અને 2023ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI ટીમમાં જંગી ફેરફાર કરવા જઈ રહી છે. તેવામાં સિલેક્ટર્સના મતે રોહિતને વનડે વર્લ્ડ કપ પહેલા પોતાની ટીમ બનાવવા અને પરફેક્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવા