1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. Why Indian team rejected trophy from PCB chairman

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યા પછી પણ કેમ ન લીધી એશિયા કપની ટ્રોફી ? BCCI સચિવે બતાવ્યુ અસલી કારણ

Indian women's cricket team
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે રાત્રે એ જ કર્યુ જે એક વર્ષ પહેલા પુરૂષ ટીમે કર્યુ હતુ. એશિયા કપ જીત્યો, પણ ટ્રોફી ન લીધી કારણ કે તેને આપવાના હતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી) ના ચેયરમેન મોહસીન નકવી જે એશિયા ક્રિકેટ કાઉંસિલ (એસીસી) ના પણ ચેયરમેન છે. ભારતીય મહિલા ટીમે પણ પુરૂષ ટીમની જેમ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો. દેખીતુ છે કે તેનાથી આલોચના થવાની હતી અને થઈ પણ. અને હવે તેને લઈને બીસીસીઆઈ એ પોતાની વાત મુકી છે.  

 
ભારતે દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને આઠમી વાર ખિતાબ પોતાને નામે કર્યો. પ્રેજેંટેશન સેરેમની માટે બંને ટીમો ઉભી હતી. શ્રીલંકાએ તો પોતાની રનરઅપ ટ્રોફી લીધી, પણ ભારતે ના પાડી દીધી.  
 

સામાન્ય વાત છે  

આ વિવાદ વચ્ચે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનું એક નિવેદન હવે સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જે બન્યું તે સામાન્ય હતું અને દેશ હિત માટે કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ટુડે સાથે વાત કરતા, BCCI સેક્રેટરીએ કહ્યું, "આજે ફાઇનલ પછી જે થયું તે સામાન્ય હતું અને તેનાથી વધુ કંઈ નહીં. અમે અમારા દેશ અને અમારા લોકોના સન્માનને ધ્યાનમાં રાખીને આ કર્યું. ભારતનો એક મોટો વર્ગ નથી ઇચ્છતો કે અમે પાકિસ્તાન સામે રમીએ, પરંતુ તેમ છતાં અમે રમી રહ્યા છીએ. અમારો મુદ્દો એ છે કે અમે આ તબક્કે જેને સ્વીકારતા નથી તેમની પાસેથી ટ્રોફી સ્વીકારીશું નહીં."


 


નિરંતરતા કાયમ રાખવાની કોશિશ 
 
 બીસીસીઆઈ સચિવે કહ્યું કે મહિલા ટીમે જે કર્યું તે પુરુષોની ટીમને ટેકો આપવાનું હતું કારણ કે પુરુષોની ટીમને હજુ સુધી એશિયા કપ ટ્રોફી મળી નથી. તેમણે કહ્યું, "અમે પણ અમારી પુરુષોની ટીમ સાથે આદર અને એકતા દર્શાવવા માટે આ કર્યું. અમારી પુરુષોની ટીમે એક વર્ષ પહેલા એશિયા કપ જીત્યો હતો, પરંતુ તેમને હજુ સુધી ટ્રોફી મળી નથી. અમે હજુ પણ ટ્રોફી માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. તેઓ હજુ પણ ટ્રોફી પરત કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં, અમે અમારું વલણ કેવી રીતે બદલી શકીએ?"
 
આગળનો લેખ
તેલંગાણામાં ભયાનક અકસ્માત: બસે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી, હોટલમાં ઘૂસી; 50થી વધુ લોકો ઘાયલ