પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટે ખરાબ સ્વાસ્થ્યને કારણે રાજીનામુ આપવાના સમાચારોને બકવાસ કરાર આપતા કહ્યુ કે તેમને અત્યારે પદ છોડવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આતંકવાદથી પ્રભાવિત આ દેશમાં ક્રિકેટને યોગ્ય દિશામાં લાવવા માટે ઘણી જ મહેનત કરી રહ્યા છે.
બટે મીડિયામાં તેમના રાજીનામાને લઈને પ્રકાશિત રિપોર્ટોના સંદર્ભમાં કહ્યુ કે તેમણે આંખનુ ઓપરેશન કરવાનુ હતુ, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે ફીટ છે અને બોર્ડના અધ્યક્ષના રૂપમાં પોતાની જવાબદારીઓ પૂરી કરવાની ઈચ્છા ધરાવે છે.
તેમણે કહ્યુ કે મારુ રાજીનામુ આપવાનો કોઈ ઈરાદો નથી. પાકિસ્તાન ક્રિકેટમાં સુધાર અને તેની સમસ્યાઓ દૂર કરવા માટે હુ ખૂબ જ મહેનત કરી રહ્યો છુ.
રિપોર્ટોમાં કહેવામાં આવ્યુ હતુ કે પીસીબીના મુખ્ય સંરક્ષક રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ બટમા વિશ્વાસ ગુમાવી દીધો છે અને લોકોનુ માનવુ છે કે જાવેદ મિયાદાંદને ફરીથી મહાનિદેશક અને બોર્ડના અધ્યક્ષના સલાહકાર નિમણૂંક કરવા એ મોટા પાયા પર બદલાવનો સંકેત છે.
બટે કહ્યુ કે મને આવો કોઈ સંકેત મળ્યો નથી કારણ કે રાષ્ટ્રપતિ જરદારી જ મને બહાર કરી શકે છે.