1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ચૂંટણી 2008
Written By વેબ દુનિયા|

ઉમાભારતી જશે કેદારનાથ?

ભારતીય જનશક્તિ પાર્ટીના સ્થાપક અને ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા મહિલા નેતા ઉમા ભારતીને તેમનાજ ગામ તીકમગઢ વિધાનસભા સીટમાં હાર થઈ છે.

પરંતુ ઉમાભારતીના પક્ષે મધ્યપ્રદેશમાં ખાતુ ખોલવામાં સફળતા મેળવી હતી. પક્ષે 213 સીટ ઉપર ચૂટણી લડી હતી. જે પૈકી પાંચમાં જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર યાદવેન્દ્રસિંહ બુન્દેલાએ તેમને તેમના જ મેદાનમાં 3000 મતના તફાવતથી માત આપી આપી હતી.

બે દિવસ પહેલા જ તેમણે તીકમગઢમાં નિવેદન આપ્યુ હતું કે,જો તેઓ તેમના હેતુમાં સફળ નહી થાય તો તેઓ રાજકારણ છોડીને કેદારનાથ જતા રહેશે. જોઈએ હવે તે શું કરશે.