રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (10:59 IST)

ગણેશજીને ભૂલથી ન ચઢાવો આ પાંચ વસ્તુ

ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. 
 
તુલસીના પાન ન ચઢાવો- ગણેશજીને ભૂલથી પણ તુલસી ક્યારેય ન ચઢાવવી જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર, ગણપતિએ તુલસીના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, જેના કારણે તુલસી ગુસ્સે થઈ ગયા અને તેમને બે લગ્ન માટે શ્રાપ આપ્યો.
 
બુધવારે ગણપતિ મહારાજની પૂજા કરવી શુભ છે. સુહાગિન મહિલાઓએ પતિની લાંબી અને આયુષ્ય માટે બુધવારે કાળા વસ્ત્રોનો ઉપયોગ ન કરવો જોઇએ. 
 
 જ્યારે પણ તમે ગણપતિની પૂજા કરો છો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તૂટેલા ચોખા બાપ્પાને ન ચઢાવવા જોઈએ. ધ્યાનમાં રાખો કે ગણેશજીને ભીના ચોખા ચઢાવવામાં આવે છે, સૂકા નહીં.
 
સફેદ વસ્તુનો પણ ઉપયોગ કરશો નહીં- સફેદ રંગના ફૂલ, કપડાં, સફેદ પવિત્ર દોરો, સફેદ ચંદન વગેરે ન ચઢાવવા જોઈએ.
 
 ગણેશના પિતા અને દેવતાઓના દેવ મહાદેવને કેતકીના ફૂલ ચઢાવવાની મનાઈ છે.
 
સુકેલા ફૂલો અને માળા,  સૂકા ફળોનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા રહે છે.