સંબંધિત સમાચાર
- ત્રિપલ તલાક બાદ મુસ્લિમ મહિલાઓ વળી ભાજપ તરફ, સુરતમાં પ્રચાર કર્યો
- સુરતમાં સચિન પાયલોટનો રાજસ્થાની યુવકોએ વિરોધ કર્યો
- સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો
- પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા રૂપાણી સામે રાજકોટ અને સુરતમાં વિરોધ
- Surat News - સુરતમાં વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ
સુરતમાં આમ આદમી પાર્ટીએ પુર્વ બેઠક પર લઘુમતિ ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રસમાં ચિંતા
સુરતની મુસ્લિમ મતદારોના પ્રભુત્વ ધરાવતી પુર્વ વિધાનસભા બેઠ પર ભાજપે પહેલી યાદીમાં ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલા સુરત પુર્વ બેઠક પર આમ આદમી પાર્ટીએ લઘુમતિ ઉમેદવાર જાહેર કરી દેતાં કોગ્રસમાં ચિંતાનું વાતાવરણ થઈ ગયું છે. સૌથી વધુ મુસ્લીમ મતદારો ધરાવતી પુર્વ વિધાન સભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઉમેદવાર જાહેર કર્યા નથી તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીનું નામ જાહેર કરી દીધું છે.
પુર્વ વિધાનસભા બેઠક પર મુલતાનીનું નામ જાહેર થતાં કોંગ્રેસના નેતાઓમાં ચિંતા થઈ ગઈ છે. આ બેઠક પર મુસ્લીમ મતદારોનું વિભાજન થતાં આ બેઠક પર ભાજપને ફાયદો થાય તેવો ઈતિહાસ છે. આ પહેલાં આ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રસ લઘુમતિને ટીકીટ ન ફાળવે તો મત નહીં તેવા બેનર લાગ્યા હતા. તે ચિંતા દુર થાય તે પહેલાં જ આપે લઘુમતિને ટીકીટ ફાળવ્યા બાદ આ મતોનુ વિભાજન થાય તેવી શક્યતા વધી જતાં કોંગ્રસને થોડી ચિંતા થઈ છે.
પુર્વ વિધાનસભા બેઠક પર મુલતાનીનું નામ જાહેર થતાં કોંગ્રેસના નેતાઓમાં ચિંતા થઈ ગઈ છે. આ બેઠક પર મુસ્લીમ મતદારોનું વિભાજન થતાં આ બેઠક પર ભાજપને ફાયદો થાય તેવો ઈતિહાસ છે. આ પહેલાં આ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રસ લઘુમતિને ટીકીટ ન ફાળવે તો મત નહીં તેવા બેનર લાગ્યા હતા. તે ચિંતા દુર થાય તે પહેલાં જ આપે લઘુમતિને ટીકીટ ફાળવ્યા બાદ આ મતોનુ વિભાજન થાય તેવી શક્યતા વધી જતાં કોંગ્રસને થોડી ચિંતા થઈ છે.
