શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લેખાનુદાન09
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:43 IST)

લેખાનુંદાનનો પટારો (2)

પછાત લોકોના વિકાસ માટે વિશેષ

* આદિજાતી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂ. 325.93 કરોડની જોગવાઈ કરેલ છે.
* આદિજાતી વિસ્તારની આશ્રમ શાળાઓ માટે રૂ. 34.42 કરોડની જોગવાઈ કરેલ છે.
* અનુસુચિત જાતિઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રની સંકલિત રીતે રૂ. 928 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* સરદાર પટેલ આવાસ યોજના હેઠળ રૂ. 115 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* ઈન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 83.12 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસુચિત જાતિને મકાન સહાય માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
* અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ સફાઈ કામદારોને આવાસન માટે રૂ. 8.92 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* અનુસૂચિત જાતિના એમ.એસ./એમ.ડી.ના વિદ્યાર્થીઓને રૂ. 25 લાખની નાણાંકીય લોન માટે જોગવાઈ કરેલ છે.
* સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાયકલો આપવા માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* સમાજ સુરક્ષા ક્ષેત્રે કટીબદ્ધતા દાખવવાના હેતુસર 2009-10માં રૂ. 115 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* નિર્મળ ગુજરાતના રૂ. 28.50 કરોડ સાથે રૂરલ સેનીટેશન હેઠળ રૂ. 59.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી હેઠળ રૂ. 55.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા જળસ્ત્રાવ વિસ્તાર વિકાસના વિવિધ કાર્યક્રમો માટે રૂ. 47.98 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* આમ આદમી વિમા યોજના હેઠળ જમીન વિહોણા અતિ ગરીબ ગ્રામીણ પરિવારોને આવરી લેવા રૂ. 11.15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વનબંધુ યોજના અંતર્ગત રાજયના આદિવાસી વિસ્તાર દાહોદમાં ફીજીયોથેરાપી કોલેજ શરૂ કરીને રૂ. 3.50 કરોડની જોગવાઈ કરેલ છે.
* 18થી 40 વય જૂથની 10000 જેટલી નિરાધાર વિધવાઓ પગભર થઈ શકે તે માટે વિધવા પેન્શન ઊપરાંત રૂ. 3000 લેખે સહાય આપવા કુલ રૂ. 9.17 કરોડની જોગવાઈ કરેલ છે.
* ચાર હજાર આંગણવાડી કેન્દ્રોના મકાનો બનાવવા રૂ. 40 કરોડની જોગવાઈ કરેલ છે.
* હયાત 5 હજાર આંગણવાડીઓના મકાનોના નવીનીકરણ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરેલ છે.
* આંગણવાડી ક્ષેત્રે માતા યશોદા એવોર્ડ માટે રૂ. 1.11 કરોડની જોગવાઈ કરેલ છે.