ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની તાજી વાર્ષિક રિપોર્ટે દેશમાં નકલી મુદ્રાના વધતા ખતરાને બહાર લાવ્યુ છે. વિશેષ રૂપથી 500 નવી ડિઝાઈન વાળી નોટોના મામલામા. રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25 માં 500 મૂલ્યવાલી નકલી નોટોની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં 37 ટકા વધારો થયો છે. આ સંખ્યા હવે વધીને 1.18 લાખ સુધી પહોચી ગઈ છે. જે વર્ષ 2020 પછી સૌથી વધુ છે. અગાઉના નાણકીય વર્ષ (2023-24) માં 500 ની નકલી નોટોની સંખ્યા 85,711 હતી. આ આંકડો ચિંતાજનક હોવાની સાથે બતાવે છે કે 500 ની નોટ છેતરપિંડી કરનારાઓ માટે મુખ્ય લક્ષ્ય બની ગયું છે.
રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કુલ નકલી નોટોમાંથી 95.3 ટકા (2.07 લાખ નોટો) બેંકોમાં મળી આવી હતી, જ્યારે બાકીની RBI પાસે પકડાઈ હતી. આ દર્શાવે છે કે નકલી નોટોને ઓળખવા માટે બેંકિંગ સિસ્ટમમાં મજબૂત મિકેનિઝમ છે, પરંતુ જાલસાજોની વધતી ગતિવિધિઓ પડકાર બની છે.
નકલી નોટોનો વધતો ટ્રેન્ડ: RBIના રિપોર્ટ મુજબ, 500ની નોટો સૌથી વધુ નકલી નોટોની શ્રેણીમાં ટોચ પર છે. અન્ય મૂલ્યવર્ગમાં પણ નકલી નોટો મળી આવી છે, જેમાં 100ની 51,069 નોટો, 00ની 32,660 નોટો અને 2,000ની 3,508 નોટોનો સમાવેશ થાય છે. જોકે, નકલી નોટોની કુલ સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં કુલ 2.18 લાખ નકલી નોટો મળી આવી હતી, જ્યારે પાછલા વર્ષમાં આ સંખ્યા 2.23 લાખ હતી. તેમ છતાં,500ની નોટોમાં નકલીમાં આ તીવ્ર વધારો ચિંતાનો વિષય છે.
500 રૂપિયાની નોટ ભારતમાં સૌથી વધુ પ્રચલનમાં છે. આ કુલ ચલણમાં વર્તમાન નોટોની સંખ્યાના 40.9 ટકા અને મૂલ્યના હિસાબથી 86 ટકા રાખે છે. તેની લોકપ્રિયતા તેને ઠગનારાઓ માટે આકર્ષક લક્ષ્ય બનાવે છે. ગયા વર્ષે નવેમ્બરમા નાણાકીય રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં બતાવ્યુ હતુ કે નાણાકીય વર્ષ 2018-19થી 2023-24 દરમિયાન 500 ની નકલી નોટોમા 300 ટકાનો વધારો થયો છે. આ વલણ નાણાકીય વર્ષ 2024-25 માં પણ ચાલુ રહ્યુ, જે અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા માટે ખતરાની ઘંટી છે.
સિક્કામાં પણ વૃદ્ધિ - રિપોર્ટમાં સિક્કાના પ્રચલનમાં પણ વૃદ્ધિની વાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25માં સિક્કાની માત્રામાં 3.6 ટકાનો વધારો થયો. જ્યારે કે તેમની કુલ કિમંતમાં 9.6 ટકાનો વધારો થયો. 1,2 અને 5 રૂપિયાના સિક્કાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જે કુલ સિક્કાના 81.6 ટકા ભાગ બનાવે છે. આ દર્શાવે છે જે નાની કિમંતના સિક્કા રોજિન્દી લેવડ દેવડમાં મહત્વની ભૂમિક ભજવે છે.
નકલી નોટોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, RBI અને સરકારે અનેક પગલાં લીધાં છે. નવી ડિઝાઇન કરેલી નોટોમાં વોટરમાર્ક, સુરક્ષા થ્રેડ અને માઇક્રોટેક્સ્ટ જેવા અદ્યતન સુરક્ષા લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નકલી નોટોને ઓળખવાનું સરળ બનાવે છે. આ ઉપરાંત, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં નોટ સોર્ટિંગ મશીનોનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. તેમ છતાં, નકલી નોટોની ટેકનોલોજી પણ અદ્યતન થઈ રહી છે, જેના કારણે નકલી નોટો શોધવાનું પડકારજનક રહે છે.
સામાન્ય લોકો માટે સૂચનો
RBI એ સામાન્ય લોકોને નોટોની સત્યતા ચકાસવા અપીલ કરી છે. 500 રૂ ની નોટમાં નીચેની સુરક્ષા સુવિધાઓ જોઈ શકાય છે:
સુરક્ષા થ્રેડ: નોટ પર ચાંદી જેવો દોરો હોય છે, જે રંગ બદલે છે અને તેના પર 'RBI' અને 'ભારત' લખેલું હોય છે.
વોટરમાર્ક: જ્યારે નોટને પ્રકાશમાં જોવામાં આવે છે, ત્યારે મહાત્મા ગાંધીનું ચિત્ર અને '500' નંબર દેખાય છે.
માઇક્રોટેક્સ્ટ: નોટ પર નાના અક્ષરોમાં 'RBI' અને '500' લખેલું છે, જે મેગ્નિફાઇંગ ગ્લાસથી જોઈ શકાય છે.
ફ્લોરોસન્ટ શાહી: નોટ પરનો નંબર યુવી પ્રકાશમાં ચમકે છે.
નકલી ₹500 નોટોમાં 37 ટકાનો વધારો એ એક ગંભીર મુદ્દો છે, જે ભારતના અર્થતંત્ર અને નાગરિકોના વિશ્વાસને અસર કરી શકે છે. RBI અને સરકારે નકલી નોટોને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. તે જ સમયે, સામાન્ય લોકોએ પણ સતર્ક રહીને નકલી નોટોને ઓળખવામાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે. આપણા ખિસ્સામાં રહેલી ₹500 ની નોટ ખરેખર અસલી છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.
સંપર્ક: જો તમને તમારી નોટની અધિકૃતતા પર શંકા હોય, તો નજીકની બેંક અથવા RBI ઓફિસનો સંપર્ક કરો. વધુ માહિતી માટે, RBI ની સત્તાવાર વેબસાઇટ https://www.rbi.org.in ની મુલાકાત લો.