શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 જુલાઈ 2022 (17:32 IST)

RSSએ ઉઠાવ્યો મોંઘવારીનો મુદ્દો, કહ્યું - જીવનજરૂરી વસ્તુઓની કિંમતો ઘટાડો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે મોંઘવારી અને ખાદ્ય વસ્તુઓની કીમતોના સંબંધો અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂરિયાત છે.
 
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે લોકો ઇચ્છે છે કે ભોજન, કપડાં અને રહેઠાણ સસ્તાં થાય કારણ કે તે મૂળભૂત જરૂરિયાતો છે.
હોસબોલેએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અત્યાર સુધીની સરકારોને શ્રેય આપતાં કહ્યું કે જરૂરી વસ્તુઓ એટલી સસ્તી હોય કે તે ગમે તે ખરીદી શકે. જોકે, ખેડૂતોને તેના કારણે નુકસાન ન થવું જોઈએ.
 
સંઘનેતાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સરકાર જરૂરી સામાનોની વધતી જતી કિંમતો અને લોટ અને દહીં જેવી આઇટમો પર જીએસટી લગાવવાના કારણે ટીકાનું પાત્ર બની છે.