શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

મોદક સેવનના ઘણા 5 શારીરિક લાભ

મોદક ભગવાન ગણપતિને ખૂબ પ્રિય છે. આ ગણપતિને પ્રસન્ન કરવા માટે ચઢાવાય છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનાથી ઘણા હેલ્થ બેનિફિટસ પણ છે. 
ભગવાન ગણેશની આરાધનાના મહાપર્વ ગણેશ ચતુર્થીની થઈ ગઈ છે. આ બધા જાણે છે કે ભગવાન ગણેશને મોદક ખૂબ પસંદ છે તેથી એવી માન્યતા છે કે મોદક ચઢાવવાથી ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે. મોદકનો અર્થ આનંદ આપનારું હોય છે અને મોદક જ્ઞાનનો પ્રતીક ગણાય છે. તેથી આ જ્ઞાનના દેવતા ગણેશજીનો અતિપ્રિય ભોગ છે. પણ આ પણ સાચું છે કે જો મોદક બુદ્ધિમાનીથી બનાવાય તો તેના ઘણા હેલ્થ બેનિફિટસ પણ છે. મોદક મીઠો હોય છે અને મિઠાઈઓમાં ખૂબ લોકપ્રિય છે. આમ કહેવાય છે કે ભગવાન ગણેશને લાડુ અને મોદક બન્ને પસંદ છે. મોદક મીઠો હોય છે પણ આ જેનાથી બને છે તેના કારણે આ આરોગ્ય માટે ગુણકારી થઈ જાય છે. આવો જાણીએ છે કે મોદક ખાવાથી શું શું લાભ હોય છે. 

મોદક સેવનના ઘણા 5 શારીરિક લાભ 
* કોકોનટ અને ગોળથી ભરેલા સ્ટીમ કરેલા ચોખાના મોદક ખાવાથી ઘણા ફાયદા હોય છે. 
* ઘી થી બનેલા મોદકને ખાવાથી કબ્જની સમસ્યાથી રાહત મળે છે શરીરથી હાનિકારક ટૉક્સિક એલિમેંટ સરળતાથી બહાર નિકળી જાય છે. 
* મોદકના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. 
* નારિયેળવાળા મોદકના સેવનથી બ્લ્ડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે. 
* નારિયેળ, ગોળ, ચોખા અને ઘી મિક્સ કરી વાષ્પથી બનેલા મોદક પાચન દુરૂસ્ત રહે છે અને બ્લ્ડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.