1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , મંગળવાર, 15 સપ્ટેમ્બર 2009 (10:53 IST)

પાક ડ્રોન હુમલામાં આઠ મર્યા

159 આતંકીઓનું આત્મસમર્પણ

આતંકવાદીઓને નિશાન બનાવાના અભિયાનને તેજ કરતા એક અમેરિકી ડ્રોને મિસાઈલ ફેંકી જે તાલિબાનના છુપાવાના એક ઠેકાણે પડી જેનાથી બે વિદેશી આતંકવાદીઓ સહિત આઠ મૃત્યુ પામ્યાં જ્યારે પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તર સીમાંત પ્રાંતમાં 159 વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દીધું.

ટીવી ચેનલોની રિપોર્ટ અનુસાર ડ્રોને ઉત્તરી વજીરિસ્તાન એજન્સીના તૂરીખેલ ગામમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાનના છુપાવાના એક ઠેકાણા પર મિસાઈલો છોડી.

સમાચાર અનુસાર મૃત્યુ પામેલા આતંકવાદીઓમાં બે વિદેશી હતાં. પાકિસ્તાની અધિકારી અલ-કાયદાના આતંકીઓને વિદેશી કહે છે. ડ્રોન હુમલામાં તેજી એ સમયે આવી જ્યારે સેનાએ સ્વાત ઘાટી અને નજીકના ડીરમાં તાલિબાન પર દબાણ કાયમ કરીને રાખ્યું છે. ડીરમાં 159 આતંકવાદીઓએ સુરક્ષા ટુકડી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.