બુધવાર, 12 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (11:15 IST)

આતંકી હુમલાથી કંપી ઉઠ્યુ સ્પેન, 13 લોકોના મોત 50 લોકો ઘાયલ , પોલીસે 4 ને ઠાર કર્યા

આતંકી હુમલા
સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને પર્યટકોની ભીડ પર વાન દોડાવી દીધી હતી. રાહદારીઓ પર હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયા હોવાના તેમ જ 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠ ISISએ લીધી છે. પોલીસે ચાર શંકાસ્પદ આંતકીને ઠાર કર્યા છે. હાલમાં યૂરોપના કેટલાક દેશોમાં વાહનને ભીડમાં ઘુસાડી હુમલો કરવાની કેટલીક ઘટનાઓ બની છે. આ પ્રકારના હુમાલામાં સ્પેન બાકી હતું તેની નજીક ફ્રાંસ, બેલ્જિયમ અને જર્મનીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે
 
હુમલા બાદ બાર્સેલોનામાં સડકો પર અફરાતફરી મચી ગઇ છે. દુનિયાભરના નેતાઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. આ બાબતે કેટેલાન પોલીસે બે શંકાસ્પદ આંતકીઓની ધરપકડ કરી છે. પોલીસ યૂનિયન મુજબ એકની ઓળખ ડ્રિસ ઓઉકાબીગ તરીકે થઇ છે.