1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (12:20 IST)

Earthquake in Pakistan- ભૂકંપના કારણે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 12નાં મોત, 175 ઘાયલ

earthquake
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંગળવાર રાત્રે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા નવ લોકો મૃત્યુ પામ્યા છે અને 46 લોકો ઘાયલ થયા છે.
 
અત્યારસુધી પાકિસ્તાનમાં માત્ર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જ ભૂકંપના કારણે નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા છે.
 
મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારને તેનું કેન્દ્ર બતાવવામાં આવી રહ્યું છે.
 
ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
 
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ સ્વાત જિલ્લામાં થયાં છે.
 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનના કારણે સ્વાત કલામ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોઅર દીરમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 લોકો ઘાયલ થયા છે, જ્યારે મલકંદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
 
સ્વાત સૈદુ શરીફ હૉસ્પિટલમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લાહે કહ્યું હતું કે, તમામ કર્મચારીઓને સતર્ક કરવામાં આવ્યા છે અને તમામ ઘાયલોને તબીબી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
 
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વિવિધ વિસ્તારમાં છત તૂટી પડવાના અને ઇમારતોને નુકસાન થવાના સમાચાર પણ છે.