1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રેખા, આમિરનું કરાયું સન્માન

P.R

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગત રાતે બોલીવુડની જાણીતી અભિનેત્રી રેખા અને અભિનેતા આમીરખાનની સાથે મરાઠી ગીતકાર જગદીશ ખેબૂદકરને શો મેન રાજકપુર અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક વી શાંતારામની યાદમાં પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રી અશોક ચૌહાણે રેખાને રાજકપુર ગૌરવ તથા આમીર ખાનને રાજકપુર સ્મૃતિ પુરસ્કારી સન્માનિત કર્યા હતા. ખેબૂદકરને ઘણી મરાઠી ફિલ્મો માટે પાંચ દશકાથી વધુ સમય સુધી ગીત લખવા માટે શાંતારામ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.