મોદી અહંકારના નશામાં ચૂર છે - રાજીવ શુક્લા
બીજેપીની કાર્યકારિણી બેઠકમાં મોદી દ્વારા કોંગ્રેસને ઉધઈ કહેવા પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી, મોદીના જવાબમાં કોંગ્રેસના મણિશંકર ઐયરે ભાજપાને મુસલમાનની હત્યા કરનાર પાર્ટી બતાવી અને મોદીને સાપ-વીંછી કહ્યા. સંસદીય મંત્રી રાજીવ શુક્લાએ પણ ભાજપા અધિવેશનમાં મોદી દ્વારા આપવામાં આવેલ નિવેદન પર નારાજગી બતાવી. તેમણે કહ્યુ કે મોદી અહંકારના નશામાં ચૂર છે. તેમણે મોદીના નિવેદનને ખોટુ બતાવ્યુ. રાજીવ શુક્લાએ કહ્યુ કે નરેન્દ્ર મોદી જે ભાષાનો ઉપયોગ કરે છે તે રાષ્ટ્રીય સ્તરના કોઈ નેતા પર શોભતી નથી. હુ સમજુ છુ કે તેમણે રાષ્ટ્રીય સ્તરના નેતાની ક્ષમતા મેળવવી હજુ બાકી છે. આત્મપ્રચાર પર ગુજરાતના કરોડો રૂપિયાનો ખર્ચ કરી જો કોઈ એવુ સમજે છે કે તે રાષ્ટ્રીય નેતા બની ગયા છે તો તે તેની ભૂલ છે. મણિશંકર ઐયરે કહ્યુ કે બીજેપી દેશની એકતાને ભંગ કરે છે. મોદીએ કોંગ્રેસને કમિશન પાર્ટી બતાવતા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ બીજેપી નેતા બંગારૂ લક્ષ્મણ અને જૂદેવને ભ્રષ્ટાચારની યાદ અપાવી. શુક્લએ કહ્યું હતું કે તેમના કથનમાં જુઠ્ઠાણું ભારોભાર છે. આજે તેઓ પ્રણવ મુખરજી પ્રત્યે પોતાની ખુશી પ્રદર્શિત કરી રહ્યાં છે પણ જો તેમનામાં સાહસ હતું તો મોદીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રણવ મુખરજીને સમર્થન શા માટે ન આપ્યું.નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસની એક પરંપરા રહી છે કે મજબૂત વ્યક્તિને ક્યારેય આગળ આવવા ન દીધી. સીતારામ કેસરીને કોંગ્રેસ પ્રમુખ નહીં પણ નાઇટ વૉચમેન બનાવીને રાખ્યા અને મોકો મળતાં જ તેઓને કોંગ્રેસ કાર્યાલયની બહાર ફેંકી દીધા. જે સમગ્ર દેશે જોયું છે. અને અત્યાર સુધી કોઇ પણ મજબૂત નેતાને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં નથી આવ્યા જેથી પરિવારનું આધિપત્ય સમાપ્ત ન થઇ જાય.