Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 5 માર્ચ 2013 (11:29 IST)
મોદીની જગ્યાએ હવે કેજરીવાલને ભાષણ માટે આમંત્રણ
P.R
અમેરિકાના વોર્ટન ઈંડિયા ઈકોનોમિક ફોરમમાં ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીનુ ભાષણ રદ્દ થતા હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે. ફોરમમાં મોદીનું મુખ્ય ભાષણ થવાનું હતુ, પણ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના વિરોધને કારને તેમનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.
આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્હોર્ટન સ્કૂલ તરફથી કેજરીવાલને ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સંબોધન માટે બોલાવવામાં આવ્યા છે. મોદીનું ભાષણ રદ્દ થતા નારાજ થયેલા શિવસેનાના નેતા સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે તેઓ વ્હોર્ટન સ્કૂલના કાર્યક્રમમાં નહીં જાય. અદાણી ગૃપે પણ કાર્યક્રમની સ્પોન્સરશીપ રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ ઉપરાંત મોદીનું ભાષણ રદ થવાથી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળ્યું છે.
ફોરમે માર્ચની 23 તારીખે મોદીને સંબોધન માટે આમંત્રિત કર્યા હતા. મોદીનું આ સંબોધન ફિલાડેલ્ફિયામાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા થવાનું હતું પરંતુ ત્રણ ભારતીય મૂળના પ્રોફેસરોના વિરોધના કારણે આ સંબોધન રદ કરવામાં આવ્યું હતું.