મોદીનો કોંગ્રેસ પર આક્રોશ - કોંગ્રેસ દેશ માટે ઉધઈ સમાન (જુઓ વીડિયો)
P.R
ભાજપની રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની બુલંદ માગણી વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું. તેમણે ગરીબી અને મોંઘવારી માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવતા કહ્યુ કે એક પરિવારનું ભલુ કરવા માટે દેશની બલિ ચડાવવાની પરંપરા કોંગ્રેસની છે. નેહરુ-ગાંધી પરિવારને પણ આડે હાથ લેતાં મોદીએ કોંગ્રેસને કમિશન પાર્ટી ગણાવી.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતાં ભાજપની રાષ્ટ્રીય પરિષદના ત્રીજા દિવસે ગુજરાતમાં સુશાસનની વાતો કરવા જ મોદી ભાષણ કરવાના હતા પણ તેમણે કહ્યું કે કોંગ્રેસની એક પરંપરા રહી છે કે મજબૂત વ્યક્તિને ક્યારેય આગળ આવવા ન દીધી. સીતારામ કેસરીને કોંગ્રેસ પ્રમુખ નહીં પણ નાઇટ વૉચમેન બનાવીને રાખ્યા. અને મોકો મળતાં જ તેઓને કોંગ્રેસ કાર્યાલયની બહાર ફેંકી દીધા. જે સમગ્ર દેશે જોયું છે. અને અત્યાર સુધી કોઇ પણ મજબૂત નેતાને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં નથી આવ્યા જેથી પરિવારનું આધિપત્ય સમાપ્ત ન થઇ જાય.
તો પ્રણવ મુખર્જી શ્રેષ્ઠ વડાપ્રધાન સાબિત થાત
ગાંધી પરિવાર પર વધુ એક પ્રહારમાં મોદીએ કહ્યું કે દેશમાં પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવાયા હોત તો વધુ યોગ્ય થયું હોત. દેશની આ દુર્દશા ન થઇ હોત. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે. અને દેશની સમસ્યાથી વાકેફ છે. પણ પરિવાર દ્વારા યોગ્ય વ્યક્તિઓને હંમેશાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે. તેમણે પંડિત નેહરુની ટીકા કરી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના વખાન કર્યા. તેમણે કહ્યુ કે શાસ્ત્રીજીને કારણે દેશમાં અનાજના ભંડાર ભર્યા છે. નેહરુના સમયમાં તો અનાજ પણ વિદેશથી ખરીદવામાં આવતું હતું. જે પરંપરા શાસ્ત્રીજીએ બદલી. જય જવાન, જય કિસાનનું સૂત્ર આપીને ખેડૂતોનું સ્વાભિમાન જગાડ્યું. જ્યારે અટલ બિહારી વાજપેયીના દેશનાં શક્તિશાળી વડાપ્રધાન ગણાવતાં કહ્યું હતું કે વિદેશી તાકાતોનું દબાણ હોવા છતાં વાજપેયી દબાણ સામે ઝૂક્યા નહી અને અણુપરિક્ષણ કરી બતાવ્યુ