રાહુલ ગાંધી 10 વર્ષમાં બદલશે રાજનીતિ નહી તો છોડી દેશે !!
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ 10 વર્ષમાં રાજનીતિનો ચહેરો બદલી નાખશે. જો આવુ ન કરી શક્યા તો તેઓ પાછળ હટી જશે. આ વાત તેમણે સંસદ ભવનના સેંટ્રલ હોલમાં સાંસદો સાથે મુલાકાત દરમિયાન કરી. તેમણે કહ્યુ કે દરેક રાજનીતિક દળમાં સત્તા કેટલાક સીમિત હાથમાં છે. હુ જમીન પરથી ઉઠીને નથી આવ્યો, તેથી સારી રીતે સમજુ છુ. કોંગ્રેસમાં ભલે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની માંગ કરનારાઓની હોડ લાગી હોય પરંતુ ખુદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને યુવાન નેતાને વડાપ્રધાન બનવામાં કોઈ રસ નથી. રાહુલે એમ કહીને સૌને ચોંકાવી દીધા હતા કે તેઓને દેશના વડાપ્રધાન બનવામાં કોઈ રૂચિ નથી. તેમના કહેવા પ્રમાણે તેઓનું પુરેપુરુ ધ્યાન તો પક્ષને મજબૂત કરવા ઉપર જ વધારે છે.તાજેતરમાં વ્હોર્ટન ઈકોનોમિક ફોરમનું આમંત્રણ મળ્યા પછી આજે સવારથી સમાચારોમાં છે. પત્રકારોએ જ્યારે તેઓને એ મુદ્દે પુછ્યું તો તેમણે એ અંગે ખાસ કોઈ વાત કરી નહોતી. ઉલટું એમણે એમ કહી દીધું કે મારી વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી, હું તો પાર્ટી માટે કામ કરૂં છું.રાહુલે કહ્યુ કે હું કોંગ્રેસમાં હાઈકમાંડના ખતમ કરવા માટે કામ કરી રહ્યો છું. પાર્ટી અને ગઠબંધનને મજબૂત બનાવવામાં માટે લોકોને મળી રહ્યો છું. રાહુલને વ્હોર્ટન ઈકોનોમિક ફોરમમાં ભાષણ આપવા માટે આમંત્રણ મળ્યુ હતુ પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એ આમંત્રણ સ્વીકારવાના મૂડમાં નથી.