મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (22:24 IST)

કાંકરીયામાં ટ્રેનને નુકશાન કરવા પ્રયાસ

નવિનીકરણ બાદ આગામી 25મી ડિસેમ્બરે કાંકરીયા તળાવનું લોકાપર્ણ થનાર છે ત્યારે કેટલાક તોફાની તત્વોએ આજે મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કર્યા હતો. જેના પગલે હવે 19મી થી 24મી ડિસેમ્બર સુધી કાંકરીયા સંકુલ સવારના 5થી રાતે 8.30 સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામી રહેલા કાંકરિયા તળાવનું આગામી 25મી ડિસેમ્બરે લોકાપર્ણ થનાર છે ત્યારે એન્ટ્રી ફીના વિવાદાસ્પદ મુદ્દાના કારણે આજે અંદાજે 150 જેટલા તોફાની તત્વોએ મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો.