મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર : , શનિવાર, 25 એપ્રિલ 2015 (16:46 IST)

ગૌરવ દિવસની ઉજવણી રાજ્યમાં જિલ્લાઓના મુખ્ય મથકે કરવાનો નિર્ણય

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાત ગૌરવ દિવસ ૧લી મેની ઉજવણી જનભાગીદારીથી રાજ્યમાં જિલ્લાઓના મુખ્ય મથકે કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ઉજવણી જે જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થતી હોય તે સિવાય જિલ્લામાં કરવાની રહેશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા મથકોએ લોકોપયોગી કામોનો લોકાર્પણ, આરોગ્ય વિષયક કેમ્પસ તથા સ્વચ્છતા-સફાઈ અભિયાનના વિવિધ કાર્યક્રમો જનસમૂહની સહભાગીતાથી યોજવાના તેમજ સરકારી જાહેર ઈમારતો-મકાનો, શેરીઓમાં રોશની-શણગાર કરવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં વર્ષ-૨૦૦૩થી સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ, પ્રજાસત્તાક દિવસ-૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વો તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ૧લી મેની રાજ્યકક્ષાની ઉજવણી પાટનગરના દાયરાની બહાર વિવિધ જિલ્લાઓમાં લોકોત્સવ તરીકે કરવાની નવતર પંરપરા તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેને આ પરંપરામાં નવો ચીલો પાડતા હવેથી ગુજરાત ગૌરવ દિવસ ૧લી મેની ઉજવણી જિલ્લા કક્ષાએ પણ જનઉત્સવ રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો છે.