Last Modified: વડોદરા , મંગળવાર, 21 એપ્રિલ 2009 (19:30 IST)
મને માફ કરો-મોદી
ભાજપનાં સ્ટાર પ્રચારક અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગોવામાં ચુંટણી રેલીઓને સંબોધિત ન કરી શકવા માટે પોતાના બ્લોગ પર માફી માંગી છે.
મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે આ બંને જગ્યાએ હું રેલી કરવા ઈચ્છતો હતો. પણ હેલીકોપ્ટરમાં ટેકનીકલી ખામી આવવાથી મારે સોલાપુર ઉભુ રહેવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોદી 19 માર્ચનાં રોજ મહારાષ્ટ્રનાં અહમદનગર અને ગોવામાં જનસભાઓ સંબોધિત કરવાના હતા, પણ તે કરી શક્યા નહતા.