બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (13:53 IST)

National Flag - તિરંગા નું મહત્વ નિબંધ

તિરંગા આપણે આન-શાન અને બલિદાનનુ પ્રતીક છે . તેના નીચે અમે બધા ભારતવાસી આપણને સુરક્ષિત અને ગૌરાવાંવિત અનુભવીએ છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે. વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. આ ત્રણેય રંગનો તેમનો ખાસ મહત્વ અને અર્થ છે. 

 
તિરંગા માટે શું છે નિયમો
 
તિરંગાને ધરતી પર અડવો ન જોઈએ. તે સિવાય તિરંગા એટલે કે રાષ્ટ્રીય ધ્વજથી કોઈ બીજો ઝંડો ઉંચો નહી રાખી શકાય. તિરંગાનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે નહી કરી શકાશે. તિરંગાનો નિર્માણ હમેશા આયાતકાર હશે. જેનો અનુપાર 3:2 નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં 24 લીટીઓ હોવી જરૂરી છે. આ વાતની કાળજી હમેશા રાખવી કે કોઈ પણ રીતે આપણા તિરંગાનો અપમાન થવો ન જોઈએ. 
 
ઝંડા પર કઈક પણ લખવો ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો નહી લગાવી શકાશે. કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ નહી કરી શકાય.
 
વર્ષ સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને આ 21 તોપની સલામી અપાય છે અને સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. 
 
ભારતીય રાષ્ટ્રધ્વજ ના દરેક રંગ શું સંદેશ આપે ..
ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ પસંદ કર્યો હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો.  
 
સન 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 તિલ્લીનો ચક્ર છે. જેને અમે અશોકા ચક્રના નામથી ઓળખે છે. આજે અમે તમને ભારતીય ઝંડાના રંગના વિશે જણાવીશું આખેર આ રંગ શાનો પ્રતીક ગણાય છે
 
 
કેસરિયા રંગ 
પહેલા આવે છે છે કેસરિયો રંગ જે બલિદાનનો પ્રતીક છે આ રંગ રાષ્ટ્રના પ્રત્યે હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતીક ગણાય છે અને 
અમારા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે અમે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવો જોઈએ
 
સફેદ રંગ 
ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનો પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનો પણ પ્રતીજ ગણાય છે સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ. 
 
લીલો રંગ 
તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશહાળી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનાની ખુશીઓને જોવાવે છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ. 
 
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.