1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા 2024 વિશેષ
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2024 (12:58 IST)

લોકસભા ચૂંટણી 2024 - ઉત્તર પ્રદેશમાં મુસલમાનો મૌન કેમ છે ?શુ તેમનો ચૂંટણીને લઈને મોહભંગ થઈ ગયો છે

muslim vote bank
muslim vote bank
લોકસભા ચૂંટણી 2024ના પહેલા ચરણનો પ્રચાર અભિયાન ખતમ 
પ્રચાર સમાપ્ત થયા બાદ પણ  યૂપીની 8 સીટો પર મુસ્લિમ વોટ બેંક મૌન 
મુસ્લિમ વોટરોનુ મૌન રાજકારણ દળ માટે ઉભી કરી મુશ્કેલી 
 
આકાશ સ્વચ્છ છે. કડકડતા તાપ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. મેરઠ ઘંટાઘરના એક ખૂણામા પરસેવાથી  લથપથ અને બેદમ લોકોનો એક સમૂહ ભાજપાના ઝંડા લહેરાવી રહ્યો છે. પાર્ટી માટે વોટ માંગી રહ્યા છે.  બહાર ઉઠી રહેલા શોરગુલ અને રેલીને જોઈને મેટલ વર્ક્સ ફેક્ટરીમાંથી કર્મચારીઓનો એક સમૂહ બહાર નીકળ્યો. જેવો તેમણે પ્રચાર કરી રહેલ લોકોની ભીડ જોઈ તો પરત જવા લાગ્યા. તેમાથી એક્યુવક બોલ્યો કે આ લોકોથી દૂર રહેવુ જ ઠીક છે.  લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. યુપીની આઠ સીટો પર 19મી એપ્રિલ એટલે કે શુક્રવારે મતદાન થશે. પશ્ચિમ યુપીની આ આઠ બેઠકો પર 2019ના પરિણામો જોઈએ તો સ્થિતિ સમજાઈ જશે. 2019 માં, ભારતીય જનતા પાર્ટીને આ તબક્કાની પાંચ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો.   
 
ચિતામા પણ સાવધાન છે મુસલમાન 
 
દેવબંદ જેવા મોટા લઘુમતી ધરાવતા સ્થળોએ પણ મુસ્લિમ વોટબેંકનો મુદ્દો અસરકારક દેખાતો નથી. કામરાન કહે છે કે અમારું મનોબળ નીચું છે. અલબત્ત ભય છે. કોણ જાણે તેનું ખોટું અર્થઘટન કરીને પોલીસને જાણ કરવામાં આવશે. અમે હંમેશા ચિંતિત છીએ, સજાગ છીએ. આ સિવાય એક સમયે ઘણી બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક હતા, તે પ્રભાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે.
 
મેરઠ કાર્યાલયમાં એક મોટી કાચની મેજ પાછળ એક વ્યસ્ત ઘર્માર્થ હોસ્પિટલના નિદેશક ને સવાલ કરવામાં આવ્યો કે શુ યૂપીમાં મુસલમાન શાંત થઈ ગયા છે ? જેનો જવાબ આવે છે ચોક્કસરૂપથી.  શામલી, બાગપત, આગ્રા, ગમે ત્યાં જાઓ. તમે જોશો કે અમારો અવાજ દબાયેલો છે. અમે બિનજરૂરી ધ્યાન આકર્ષિત કરવા માંગતા નથી. અમે હવે મોખરે રહેવા માંગતા નથી. કોઈ પણ પક્ષ નથી ઈચ્છતો કે આપણે 'ચહેરો' બનીએ. હોશિયારીથી વર્તવામાં શાણપણ છે, અવાજ ઉઠાવવામાં નહીં.
 
ઉમેદવારી પર પણ સવાલ 
બુલંદશહેરના સિયાનામાં કેરીના મોટા બગીચના માલિક એક વેપારીએ આ વાત પર સહમતિ બતાવી કે આ સમયે મુસ્લિમનુ મોઢુ તો બંધ જ છે. સાથે જ સ્થાનીક નેતા કે ઉમેદવાર પણ ક્યા છે ? અમને ટિકિટ કોણ આપી રહ્યુ છે ? 
તો અમે કોના પક્ષમાં છે ?  શુક્રવારે સહારનપુર, નગીના, બિજનૌર, કૈરાના, પીલીભીત, રામપુર, મુરાદાબાદ અને મુઝફ્ફરનગર લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તમામ બેઠકો પર મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. પીલીભીત સિવાય, આમાંના મોટાભાગના મતવિસ્તારોમાં લઘુમતી સમુદાયની વસ્તી 35 ટકાથી વધુ છે.
 
કોંગ્રેસે સહારનપુરમાં ઈમરાન મસૂદને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કૈરાનામાં સમાજવાદી પાર્ટીના ઇકરા હસન અને રામપુરમાં મોહિબુલ્લા નદવી મેદાનમાં છે. માયાવતીએ ઈરફાન સૈફીને મુરાદાબાદથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે. માયાવતીએ ગયા અઠવાડિયે મુઝફ્ફરનગરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે તેઓ તેમની પાર્ટી બસપા તરફથી કોઈ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણીમાં ઉભા રાખવા માંગે છે, પરંતુ કોઈ મળ્યું નથી... તેઓ ખૂબ ડરી ગયા છે.
 
મોઢુ બંધ રાખવા મજબૂર 
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા સલમાન ગૌરીએ કહ્યું કે એક રીતે મુસ્લિમોને મોઢુ બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. કોણ જેલમાં જવા માંગે છે?   ઘણા ગરીબો સાથે વાત કરીને જોયુ કોઈપણ બિનજરૂરી જોખમ લેવા માંગતુ નથી. વધુ મહત્વની વાત એ છે કે અમે ધ્રુવીકરણ ચૂંટણી ઇચ્છતા નથી. આનો અર્થ એ થશે કે પહેલેથી જ શક્તિશાળી ભાજપને રેડીમેડ જીત સોંપવી.
 
દેવબંદના મુફ્તી અરશદ ફારૂકી જેવા ઘણા સમુદાયના વડાઓ અને મૌલવીઓ કહે છે કે વર્તમાન રાજકીય પ્રણાલીથી મોહભંગ થવાનો મતલબ મતદાનથી ભ્રમણા નથી. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં લોકતાંત્રિક પ્રક્રિયા આપણા માટે વધુ કિંમતી બની છે. મને આ સ્પષ્ટ કરવા દો. ઈદગાહ, મસ્જિદો અને મદરેસાઓમાંથી મુસ્લિમોને મત આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ અપીલો ચાલુ રહેશે. હવે રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોની રાજકીય અવગણનાને સાંખી લેવામાં આવશે નહીં. મુસ્લિમો રાજકીય અને સામાજિક રીતે સક્રિય બન્યા છે. સમાજ તેના સારા અને ખરાબ બંને જાણે છે. મુલાયમ સિંહ યાદવે મુસ્લિમોનું ધ્યાન રાખ્યું. સપામાં બદલાવ જોવા મળી રહ્યો છે.
 
વિકાસની વાત નથી પણ અસ્તિત્વ છે મુદ્દો 
એક ચેરિટેબલ હોસ્પિટલના ડાયરેક્ટર પણ મુસ્લિમોના મૌનને અલગ અંદાજથી રજૂ કરે છે. તેઓ કહે છે કે અમારો મુદ્દો વિકાસનો નથી, અસ્તિત્વનો છે. અર્થ સમજાવતા તેઓ કહે છે કે અમારો મુખ્ય મુદ્દો વિકાસ નથી. આ અસ્તિત્વની વાત છે. ઓળખની વાત છે. મુસ્લિમ હવે આ સમજે છે. તેઓ તેના અનુરૂપ જ મતદાન કરશે.  
 
બીજી બાજુ બીજેપી અલ્પસંખ્યક સેલના પશ્ચિમી યૂપી ઉપાધ્યક્ષ કદીમ આલમની એક જુદી જ થિયરી છે. તેઓ કહે છે કે મુસલમાનોને હાલ એવુ લાગે છે કે જેવા કે તેઓ સૂઈ રહ્યા છે કારણ કે તેઓ ભ્રમિત છે. તે કોને વોટ આપશે ? વિપક્ષ ક્યા છે ? આ સવાલ દરેકના મનમાં છે.