ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated :નવી દિલ્હીઃ , રવિવાર, 10 માર્ચ 2019 (18:23 IST)

લોકસભા 2019ની ચૂટણીની તારીખોની થઈ જાહેરાત, 7 તબક્કામાં યોજાશે મતદાન, 23 મેના રોજ પરિણામ

લોકસભા 2019ની ચૂટણીની તારીખોની થઈ જાહેરાત
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
- મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું, બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ અમે ધ્યાનમાં લીધો છે. આ વખતે 90 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 1.5 કરોડ મતદાર પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. 
- ગુજરાતમાં યોજાશે એક જ તબક્કામાં ચૂંટણી
-  23 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે : ચૂંટણી પંચ
- 7મા તબક્કાની 19 મે ના રોજ યોજાશે ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
- 12 મે છઠ્ઠા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
-  પાંચમાં 6 મે એ યોજાશે ચૂંટણી : ચૂંટણી પંચ
- 29 એપ્રિલે ચોથા તબક્કાની ચૂંટણી : ચૂંટણી પંચ
- 11 એપ્રિલથી પહેલા તબક્કાની લોકસભાની ચૂંટણી : ચૂંટણી પંચ
- 2019ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ
- આચાર સંહિતના ભંગ માટે વેબ પોર્ટલ પણ ઉભુ કરવામાં આવશે : ચૂંટણી પંચ
-ચૂંટણી બૂથ પર દિવ્યાંગ મતદાતાઓ માટે વ્હિલચેરની વ્યવસ્થા : સુનિલ અરોરા
- ટ્વિટર, ફેસબુક અને ગુગલે પણ બાંહેધરી આપી.
- સોશિયલ મીડિયા પર પણ આચાર સહિંતા આજથી જ લાગુ : ચૂંટણી પંચ
- સોશિયલ મીડિયા પર દરેક જાહેરાત માટે અગાઉથી પ્રમાણપત્ર લેવાનું રહેશે
-વોટર આઈડી સ્લેપ પાંચ દિવસ પહેલા જ આપવામાં આવશે 
-  EVM અને VVPTનું જીપીએસ મારફતે ધ્યાન રાખવામાં આવશે.
- તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ તૈનાત કરવામાં આવશે : ચૂંટણી પંચ
-ચૂંટણી પંચ એન્ડ્રોઈડ એપ બહાર પાડશે.
-દેશમાં 10 લાખ ચૂંટણી મથકો ઉભા કરવામાં આવ્યા : પંચ
- 26 માર્ચ સુધીમાં તમામ ઉમેદવારોએ પોતાનું સોગંધનામું દાખલ કરવાનું રહેશે : ચૂંટણી પંચ
-પર્યાવરણને નુંકશાન થાય તેવા કોઈ પણ મટિરિયલનો ઉપયોગ નહીં થાય : ચૂંટણી પંચ
- ઉમેદવારો સોગંધનામું નહીં કરે તો ફોર્મ કેન્સલ કરવામાં આવશે.
- આજથી આચાર સંહિતા લાગુ, આચાર સંહિતા ભંગ બદલ પગલા લેવામાં આવશે.
- એસએમએસથી મતદાર પોતાના નામની જાહેર થશે.
- દરેક મતદાન મથક પર VVPT મસીનનો ઉપયોગ પણ થશે.
- દરેક મતદાન મથક પર VVPT મસીનનો ઉપયોગ પણ થશે
-  પહેલીવાર EVM મસીનમાં ઉમેદવારનો ફોટો પણ રહેશે
- 1590 નંબર પર મતદાર યાદીમાં નામની ખાતરી કરી શકાશે.
-  મતદાન માટે 11 પ્રકારના પુરાવાઓ માન્ય ગણાશે.
- ફોટો વોટર સ્લીપ પુરાવા તરીકે નહીં ગણાય.
- ચૂંટણીમાં NOTAનો ઉપયોગ થશે.
- એક કરોડ 60 લાખ નોકરિયાત વર્ગના મતદાતાઓ
- આ વખતે 84.3 લાખ મતદાતાઓ નવા ઉમેરાયા.
-  18 થી 19 વર્ષના દોઠ કરોડ મતદાતાઓ.
- આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે : અરોરા
- પરીક્ષાઓ, તહેવારો અને પાકની કાપણીની મોસમને ધ્યાનમાં રાખીને તારીખ નક્કી કરવાનો નિર્ણય કરાયો : સુનીલ અરોરા
- જાન્યુઆરીમાં સુરક્ષાને લઈને ચર્ચાઓ પણ થઈ.
- લોકસભાની ચૂંટણીઓને લઈને રેલવે વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી.
- રાજકીય પક્ષો સાથે પણ અમે ચર્ચા કરી.
- રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
- અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માંગીએ છીએ.
- 17મી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થોડી જ વારમાં. 
-  ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાની પ્રેસ કોન્ફરન્સ શરૂ. 
- ચૂંટણી કમિશ્નર વિજ્ઞાન ભવન પહોંચ્યા.
- વિજ્ઞાન ભવન પર સુરક્ષા વ્યવસ્થા સઘન