સંબંધિત સમાચાર
- 5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
- મુંબઈમાં 14 માળની ઈમારતમાં આગ, દંપતી સહિત 3ના મોતની પુષ્ટિ
- આજે શિરડી સાઈ બાબાની પુણ્યતિથિ, જાણો તેમના વિશે
- કેમ થઈ બાબા સિદ્દીકીની હત્યા ?દાઉદ, સલમાન ખાન કે સ્લમ પ્રોજેક્ટ.. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ 5 એંગલથી કરી રહી છે તપાસ
- મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, વચ્ચે હવામાં થયુ પ્લેન ડાયવર્ટ
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કોણ હતા, જાણો તેમના વિશે 7 રોચક વાતો
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જાણીતા ભારતીય દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1920 ના રોજ મુંબઈમાં અને નિધન 25 ઓક્ટોબર 2003ના રોજ મુંબઈમાં જ થયુ હતુ. તેમને સમાજમાં દાદા (મોટા ભાઈ)ના નામથી ઓળખાય છે. આવો જાણીએ તેમનો પરિચય.
1. પાંડુરંગ આઠવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ-ચેતના જગાવવાનું કામ કર્યું. આઠવલેએ વેદ, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિમાં રહેલા આત્માના મહત્વને જાગૃત કરીને તે જ્ઞાન અને શાણપણનો સામાજિક પરિવર્તનમાં ઉપયોગ કરવાનું શક્ય બનાવ્યું.
2. 1954 માં, પાંડુરંગને જાપાનના શિમ્ત્સુમાં 'બીજી વિશ્વ ધર્મ પરિષદ'માં ભાગ લેવાની તક મળી, જ્યાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર પ્રવચન આપ્યું.
3. આઠવલેના આહ્વાન પર, 1958 માં, તેમના ભક્તોએ ગામ-ગામ ફરીને દરેકને સ્વાધ્યાયનો મહિમા સમજાવ્યો.
4. 1964 માં, પોપ પોલ IV ભારત આવ્યા અને દાદા સાથે તેમની ફિલસૂફી વિશે ચર્ચા કરી.
5. વર્ષ 1988માં તેમને 'મહાત્મા ગાંધી એવોર્ડ' અને વર્ષ 1997માં ધર્મના ક્ષેત્રમાં પ્રગતિ માટે 'ટેમ્પલટન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
