સંબંધિત સમાચાર
- બિહારના સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોતથી થયો હાહાકાર, 10થી વધુ હોસ્પિટલમાં દાખલ
- ઓમર અબ્દુલ્લાનો આજે શપથ ગ્રહણ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિત આ 10 નેતા બની શકે છે મંત્રી
- Ludhiana ગેસ લીકેજના કારણે મોટો અકસ્માત, 7 વર્ષની બાળકી સહિત 7 આગમાં દાઝ્યા
- ચારધામમાં ફરી યાત્રિકોની સંખ્યા વધવા લાગી, દરરોજ 23 હજારથી વધુ ભક્તો આવી રહ્યા છે, જાણો ક્યારે બંધ થશે દરવાજા
- જયપુર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકી બાદ ભયનો માહોલ
મુંબઈમાં 14 માળની ઈમારતમાં આગ, દંપતી સહિત 3ના મોતની પુષ્ટિ
Mumbai Andheri Massive Fire: મુંબઈના અંધેરી રિયા પેલેસમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે વૃદ્ધ લોકો અને તેમના મદદગારનો સમાવેશ થાય છે. વૃદ્ધ દંપતીનો પુત્ર વિદેશમાં રહે છે. આગની માહિતી મળતાં આસપાસમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જો કે સવારે 9 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યાં આગ લાગી હતી તે જ ફ્લોર પર ત્રણેય લોકો હાજર હતા. ચંદ્રપ્રકાશ સોની, 74, કાન્તા સોની, 74, અને તેમની નોકર પેલુબેતા, 42, આગમાં દાઝી ગયા અને તેમના જીવ ગુમાવ્યા.
10મા માળે આગ લાગી હતી
મળતી માહિતી મુજબ, મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી રિયા પેલેસની 14 માળની ઈમારતના 10મા માળે આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. સીએમઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે
