સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્ર ચૂંટણી માટે બીજેપીનો સંકલ્પ પત્ર આજે જાહેર થશે, વડાપ્રધાન મોદી ઝારખંડમાં ગર્જના કરશે
- Maharashtra Elections - સરકાર બનશે તો બધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દઈશુ, કેમ ભડક્યા રાજ ઠાકરે
- Maharashtra Election - મુંબઈની આ 25 સીટો પર કોણે કર્યો બીજેપી-શિંદે ગઠબંધનના નાકમાં દમ? લાગી શકે છે મોટો જ ઝટકો
- મહારાષ્ટ્રમાં બાગિયોએ વધારી ટેંશન, મહાયુતિ અને MVAના અનેક નેતા નૉટ રિચેબલ
- મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી
Maharashtra Elections - રાજ ઠાકરેનુ મોટુ નિવેદન, કહ્યુ - પુત્ર અમિતની જીત માટે કોઈની સામે ભીખ નહી માંગુ
Amit Raj Thackeray
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની નિકટ છે. આવામાં બધા દળ પોતાની તૈયરીઓના અંતિમ પડાવ પર છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે તે પોતાના પુત્ર અમિત ઠાકરેની ચૂંટણીમાં જીત માતે કોઈની સામે ભીખ નહી માંગે. ઉલ્લેખનીય છે કે અમિત ઠાકરે માહિમ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
રાજ ઠાકરેએ વધુ શુ કહ્યુ ?
રાજ ઠાકરે એ કહ્યુ, અમિતની જીત માતે કોઈની સામે ભીખ નહી માંગુ. જે સામે આવશે તેની સાથે લડીશ અને અમિતને ચૂંટણીમાં જરૂર જીતાડીશુ. મે પરિવાર વચ્ચે ક્યારેય રાજનીતિ આવવા દીધી નથી. આદિત્ય સામે મે ઉમેદવાર ઉભો કર્યો નહોતો.
રાજ ઠાકરેએ કહ્યું, 'મારા પુત્રની સામે ઉમેદવાર ન ઊભો રાખવો, મેં આ માટે કોઈને બોલાવ્યા નથી.' રાજે કહ્યું, 'તમને યાદ હશે, જ્યારે ઉદ્ધવ બીમાર હતા. પછી હું કાર દ્વારા (હોસ્પિટલ) જનાર પ્રથમ વ્યક્તિ હતો. હું અલીબાગમાં હતો, મને બાળાસાહેબનો ફોન આવ્યો, તેમણે પૂછ્યું, તમે જાણો છો? મેં કહ્યું હા, હું નીકળી ગયો છું (હોસ્પિટલ જવા માટે). મેં ક્યારેય પરિવારમાં રાજકારણ આવવા દીધું નથી. જ્યારે આદિત્ય વરલી સીટ પર ચૂંટણી લડવા માટે ઉભા હતા ત્યારે આ સીટ પર MNSના 37 થી 38 હજાર વોટ છે. ત્યારે મેં કહ્યું કે પહેલીવાર અમારા પરિવારનો કોઈ સભ્ય ચૂંટણી લડી રહ્યો છે. હું ત્યાં ઉમેદવાર ઊભો રાખીશ નહીં અને આ મારા મગજમાંથી આવ્યું હતું.
રાજે કહ્યુ, મે કોઈને ફોન નથી કર્યો કે હુ મદદ કરી રહ્યો છુ. આગળ તમે મને સાચવી લેશો. હું આ રીતે બિનજરૂરી રીતે ભીખ માંગતો નથી. મારાથી બને તેટલું મેં સારું કર્યું. આજે જ્યારે અમિત ચૂંટણી લડી રહ્યો છે ત્યારે હું ભીખ નહીં માંગું. ગત લોકસભા ચૂંટણીમાં મેં તેમને બિનશરતી સમર્થન આપ્યું હતું. તે સમયે મારા મગજમાં પણ નહોતું કે અમિત ચૂંટણી લડશે. મારા શુ અમિતના મગજમાં પણ નહોતુ કે એ ચૂંટણી લડશે
તેથી આ મુદ્દો નહોતો
રાજ ઠાકરેએ કહ્યું, 'પરંતુ આ બધું કર્યા પછી, બિનશરતી ટેકો આપ્યા પછી, મેં તેમને એટલું જ કહ્યું કે, જો તમે સારા ઇશારામાં કામ કરી શકો તો કરો, નહીં તો ન કરો. માત્ર અમિત જ ચૂંટણી લડે છે, તેથી તમે ઉમેદવારને ટેકો આપી શકો છો, તમને એવું લાગે તો કરો કે ન કરો. જે પણ આગળ આવશે તે ચૂંટણી લડશે અને તેમને ચોક્કસપણે જીતાડશે.
