1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 જુલાઈ 2021 (15:34 IST)

Lockdown- કોરોનાના ડેલ્ટા વેરિએંટનો અસર- મણિપુરમા& 18 જુલાઈથી 10 દિવસનો સંપૂર્ણ કર્ફ્યૂ- ઓડિશામાં પણ વધ્યુ લૉકડાઉન

પાંડુચેરી સરકાર
દેશમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ધીમી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા જરૂર ઘટી છે. પણ કોરોનાના ડેલ્ટા વેરિએંટનો ખતરો સતત વધી રહ્યો છે. મણિપુરમાં 10 દિવસનો પૂર્ણ કર્ફ્યુ લગાવાયુ છે. પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મણિપુરમાં 10039, અરૂણાચલ પ્રદેશમાં 465 અને મિઝોરમમાં 581 કોરોના કેસ સામે આવ્યા છે. 
 
આ વચ્ચે ઓડિશા સરકારએ પણ આંશિક લૉકડાઉનના વિસ્તાર એક ઓગસ્ટ સવારે છ વાગ્યે સુધી કરી દીધુ છે. પાંડુચેરી સરકારએ પણ કોવિડ 19 ના કારણે લાગૂ લૉકડાઉનને આ મહીના અંત સુધી માટે વધારી દીધુ છે. 
પુડુચેરી સરકારે કોવિડ -19 ને કારણે લાગુ થયેલા લોકડાઉનને આ મહિનાના અંત સુધી વધારી દીધું છે. લોકડાઉન ગુરુવારે રાત્રે 12 વાગ્યે સમાપ્ત થઈ રહ્યું હતું. અહીં જારી કરવામાં આવેલા એક સત્તાવાર અખબારી અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ કરફ્યુ તમામ દિવસો રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. સામાજિક-રાજકીય કાર્યો અને મનોરંજન સંબંધિત કાર્યક્રમો પર પ્રતિબંધો અમલમાં રહેશે.
ઓડિશામાં 1 ઓગસ્ટ સુધી લંબાવાતા આંશિક લોકડાઉનને થોડી છૂટ મળી