સંબંધિત સમાચાર
- Kerala news- કેરળના પલક્કડ બસ અકસ્માતમાં 9ના મોત
- બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન નદીમાં અચાનક પૂર, 7ના મોત; ઘણા ગુમ
- Mumbai Police Gets Call Threat- હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી
- મુંબઈ: બાંદ્રા-વરલી સી લિંક પર સ્પીડ કારે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત
- ઉત્તરાખંડમાં આઘાતજનક અકસ્માત, 40થી વધુ જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી
હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ
WHOએ કહ્યું હતું કે ગામ્બિયામાં 66 બાળકનાં કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયાં છે. આ સિરપના સેવનથી બાળકોનાં મોત થયાં હશે. આ પ્રોડક્ટ પણ હાલમાં ફક્ત ગામ્બિયામાં જ મળી આવી છે.
ગામ્બિયામાં 66 બાળકનાં મોત
આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે
હરિયાણાના સોનેપતની 'મેદાન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ' કંપનીએ રાજ્યના ડ્રગ કંટ્રોલર પાસેથી લાઇસન્સ લીધું હતું અને આ ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની પરવાનગી લીધી હતી. કંપનીએ અત્યાર સુધી આ ઉત્પાદનોને માત્ર ગામ્બિયામાં જ મોકલ્યા છે.
WHOએ એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે તમામ દેશોએ આ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી તેનાથી થતા નુકસાનથી બચી શકાય. વર્લ્ડ હેલ્થ બોડીએ જણાવ્યું હતું કે ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, પેશાબ કરવામાં મુશ્કેલી, માથાનો દુખાવો, માનસિક સ્થિતિમાં ફેરફાર અને કિડનીને ગંભીર નુકસાનનું કારણ બની શકે છે, જે દર્દીનું મૃત્યુ પણ કરી શકે છે.

